SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. વગેવી, તેથી હું કેમ ન મરૂં? માછલી પણ પાણી જવાથી જીવતી નથી. તમે જ કહે કે જેમ નવા કેળાને કોઈ આંગળી અડાડે તે તે તત્કાળ સુકાઈ જાય છે, તે ન્યાય પ્રમાણે મહિમાને ઘરરૂપ માની પુરૂને કેઈ આંગળી દેખાડે (કલંક આપે) તે તે કેવી રીતે જીવે ?” તે સાંભળી મંત્રીની સ્ત્રીએ કહ્યું કે –“હે પુત્રી ! આવી બુદ્ધિ ન કર. કેમકે મરવાથી દુર્ગતિ થાય છે, અને જીવવાથી તમેને કલ્યાણની શ્રેણિ પ્રાપ્ત થશે, પરંતુ પિતાના હિતની ઈચ્છા રાખીને તમે મારા કહેવા પ્રમાણે ઉપાય કરે, કે જેથી જવરની જેમ આ તમારે સંતાપ પણ નાશ પામે.” ત્યારે તે બોલી કે –“તે મને આ દુઃખસાગરમાંથી ઉપાયરૂપી વહાણવડે તમે તારે.” આ પ્રમાણે લીલાવતીએ કહ્યું ત્યારે અમાત્યની સ્ત્રીએ તેણીને આ પ્રમાણે નવકાર મંત્રને મહિમા કહ્યો – પંચ પરમેષ્ઠીને નમસ્કાર મંત્ર કલ્પવૃક્ષ જે છે, તેના દરેક અક્ષરે એક હજાર અને આઠ આઠ મહાવિદ્યાઓ રહેલી છે. તે મંત્રના પ્રભાવથી ચાર હોય તે મિત્ર થાય છે, સર્પ માળારૂપ થઈ જાય છે, અગ્નિ જળરૂપ થઈ જાય છે, જળ સ્થળરૂપ થઈ જાય છે, અરણ્ય નગરરૂપ થઈ જાય છે, અને સિંહ શીયાળ જે થઈ જાય છે. તે મંત્રનું માત્ર સ્મરણ જ કર્યું હોય તે તે લેકેને મોહ પમાડે છે, શત્રને ઉખેડી નાખે છે, પ્રિય વસ્તુનું આકર્ષણ કરે છે, નહીં વશ થયેલાને વશ કરવામાં કામણરૂપ થાય છે, અને ઘાત કરનારને સ્તભન કરે છે. આ મંત્રનું ધ્યાન કરવાથી તે આ ભવમાં સર્વ આપત્તિએને દૂર કરે છે, અને સર્વ મનેરને પૂર્ણ કરે છે, તથા પરભવમાં રાજ્ય, સ્વર્ગ અને મેક્ષ પણ આપે છે. તેથી કરીને શરીર અને વસ્ત્રની શુદ્ધિ કરીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પૂજા તથા ધૂપèપ વિગેરે કરવા પૂર્વક તું તે મંત્રને એકાગ્ર મનથી નિરંતર જપ કર.” આ પ્રમાણે કહી ચતુર એવી તેણુએ તે લીલાવતી રાણુને પંચ નમસ્કાર મંત્ર શીખવ્યું. ત્યારે તે આતુરતાથી એક ચિત્તવાળી થઈને વિધિ પૂર્વક તે મંત્રનું સ્મરણ (જ૫) કરવા લાગી. પદ્માસને બેસી મનહર આકૃતિવાળી, શ્વેત વસ્ત્ર ધારણ કરનારી અને હસ્તમાં રત્નની અક્ષમાળાને ધારણ કરતી તે તે વખતે સરસ્વતીની જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy