________________
પ્રકરણ અઠાવીશકું જૈનેને સંબંધન આપણે અંધાપો
એક સુંદર શહેરના એક જ દરવાજાવાળા કિલ્લાને હાથ દઇ એક આંધળો શહેરની અંદર જવા માટે દરવાજ શેાધતા હતો. દરવાજે આવતાં જ તેને ખુજલી આવતી. ચાલતાં ચાલતાં જ તે ખજવાળ અને દરવાજે વટાવી જતે, એમ દરવખત દરવાજા પાસે આવતી વખતે જ ખુજલી આવે અને ખજવાળતાં ખજવાળતાં જ દરવાજે વટાવી જાય.
આ પ્રમાણે આંધળે ઘાંચીના બળદની માફક કિલ્લાને ફરતા આટા માર્યા જ કરે પણ તેને દરવાજે હાથ ન લાગે, તોપણ તે પોતાની સહનશીલતા અને સમતા માટે તે મગરૂરી કર્યા જ કરે છે.
આપણે બધા ધર્મને દરવાજે કે મેક્ષને દરવાજો શાધનારા અંધા જ છીએ,
પક્ષવાદ રૂ૫ ખુજલીને આપણે દાબી શક્તા નથી. અને શુદ્ધ ધર્મરૂપી મેક્ષને દરવાજે શોધી શકતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org