SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૨ - ૧૯. પિતાના મંતવ્યમાં દઢ રહ્યા. પહેલાં જિનકલ્પ સંબધી સમાધાન તો થયેલું પરંતુ તે મતભેદે દિલમાં ઉપજાવેલું પનું ઝેર નાબુદ થયું ન હેતું. તેથી આ વખતે વિરોધને પ્રસંગે ઉપસ્થિત થતાં વિરોધ એકદમ ઉગ્ર થઈ ગયો. આર્યરક્ષિત સૂરિને સ્વર્ગવાસ વીરસવંત ૧૮૭ માં થશે. વેતાંબર સંપ્રદાય પ્રમાણે બન્ને પક્ષ વીર સં. ૬૦૮ માં છૂટા પડ્યા. એટલે કે આર્યરક્ષિત સૂરિના વખતમાં ઉત્પન્ન થયેલો વિરોધ એટલો બધે વધી ગયો કે આર્ય રક્ષિત રિના સ્વર્ગવાસ પછી નવ કે બાર વર્ષની અંદર બને પક્ષ છૂટા પડી ગયા. છૂટા પડવા માટેના તાત્કાલિક કારણની આખ્યાયિકા બન્ને પક્ષ તરફથી જુદી જુદી કહેવામાં આવે છે. એ તે મનુષ્ય સ્વભાવને સામાન્ય રિવાજ છે કે બે વિરોધીઓ જુદા પડે ત્યારે દરેક પક્ષ સામા પક્ષને જ દેષ કાઢે. તે જ પ્રમાણે અહીં પણ બન્ને પક્ષે સામાને દેષ કાઢે એટલું જ નહિ પણ સામાને બદનામ કરે તેવી હદ સુધીની આખ્યાયિકા જોડી કાઢી હેય એમ દેખાય છે. ' પરંતુ એ આખ્યાયિકાઓ તથા તે પછીના ઇતિહાસ ઉપરથી તટસ્થ ભાણસ એટલું તો ચોકકસ સમજી શકે છે કે બંને પક્ષમાં 2ષ અને વેરનું ઝેર ઘણું જ વ્યાપી ગયેલું હતું. અને તેઓએ જેનને ત્યાગ કરીને ફક્ત પિતાના મતના સમર્થનની જ વાતો કરવા માંડી, એક પક્ષે એકાંતથી વસ્ત્રધારણનું જ પ્રતિપાદન કર્યું તે તાંબર કહેવાયા. અને બીજા પક્ષે એકાંતથી નગ્નત્વનું જ પ્રતિપાદન કર્યું અને તે દિગંબર કહેવાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy