SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાય પ્ર. ૧૭ ૨૬૧ તેથી એ માનવું યુક્તિસંગત છે કે શિવકાટિ આચાર્ય જે પૂર્વાચાર્યોના ગ્રંથાના ઉપયાગ કર્યો હોવાના સ્વીકાર કરેલ છે. તે શ્વેતાંબર પરપરના છે. શિવકાટિ આચાર્ય કયારે થઈ ગયા તે બાબત વિદ્વાને ચાસ નિય કરી શક્યા નથી. શ્રી સમતભદ્રાચાર્ય વિક્રમની ખીજી સદીમાં થયા હતા. તેમની પાસેથી શિવકાટિ રાજાએ દીક્ષા લીધી હતી. તે મુનિ શિવકાટિ આચાર્ય થયા હતા. - પરંતુ તે શિવકાટિ આચાર્યે ભગવતી આરાધના બનાવી હોય તે માટે શકા રહે છે, કારણુ કે ભગવતી આરાધનામાં વપરાયેલા ગચ્છ વગેરે શબ્દ પ્રયાગ। વિક્રમની બીજી સદીમાં વપરાતા નહાતા અમ વિદ્યાનાનુ માનવું છે. શ્રી કુંદકુંદાચાર્યના મૂળાચાર ગ્રંથમાં પંચાચાર અધિકારમાંની ૨૨૨ ગાથામાં ૬૦ ગાથા અક્ષરશઃ ભગવતી આરાધના ગ્રંથમાંની છે. તે જ પ્રમાણે મૂળાચારના સમાચારાધિકારમાંની ગાથાઓ માટે ભાગે ભગવતી આરાધના ગ્રંથની છે એટલે શિવકાટિ આચાય કુંદકુંદાચાયની પહેલાં એટલે છઠ્ઠી સદી પહેલાં એ તે નક્કી જ છે. ભગવતી આરાધનામાંના શબ્દ પ્રયાગે વિક્રમની બીજી સદીની આખરમાં વપરાતા હતા એમ નક્કી થઈ શકે તે શિવકાટિ આચાય સમતસદ્રાચાયના શિષ્ય હતા એમ માનવાને ખાધા નડે નહિ. નહિતર શિવકાટિ આચાર્ય વિક્રમની ચોથી સદીની આખરમાં અથવા પાંચમી સદીની શરૂઆતમાં થયા હોય એમ અનુમાન કરી શકાય. દિગંબર સંપ્રદાયની હાલની એકાંતિક માન્યતા શ્રી કુંદકુંદાચાર્ય જ ૨૮ કરેલી છે. તે પહેલાં મૂળ આચારાંગ સૂત્ર પ્રમાણે જ નગ્નતા અને આપવાદિક રીતે વસ્ત્ર ધારણની છૂટ હતી. અને શિવકાટી આચાયે તે પ્રમાણે જ પ્રતિપાદન કરેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy