________________
મૂળ જેન ધર્મ અને પૂજાવિધિથી કંટાળેલાઓએ
પૂજાવિરોધ અપનાવ્યું આ પૂજાવિધિએ લોકોને એટલો બધો ત્રાસ કંટાળો આવે કે જ્યારે મુનિએ શ્રી ધર્મસિંહજી, ધર્મદાસજી, લવજી ઋષિએ મૂર્તિપૂજા વિરુદ્ધ પિકાર ઉઠાવ્યો ત્યારે તેમને અણચિંતવી, અસાધારણ ફત્તેહ મળી. પૂજાવિધિથી કંટાળેલા સર્વ લોકોએ આ મુનિઓના પિકારને વધાવી લીધો અને તેઓ આ મુનિઓના અનુયાયી બની ગયા. આ પ્રમાણે સ્થાનકવાસી સંપ્રદાયની મોટી સંખ્યા બની ગઈ છે
સ્થાનકવાસીઓના આ મૂર્તિપૂજા વિરોધી પકારમાં મૂર્તિવિરોધ પણું સમાઈ ગયે એટલે એ વિધ મૂર્તિ અને મૂર્તિ પૂજા એ બે તદ્દન જુદી જુદી બાબત છે તેની ખબર જ નહોતી. તેથી તેમણે તે તર્કથી મૂર્તિપૂજા વિરુદ્ધ તેમજ મૂર્તિની વિરુદ્ધ પણ પ્રમાણે શોધી કાઢ્યા અથવા ઉપજાવી કાઢયા.
પરંતુ મૂર્તિપૂજકો તો તે વખતે આ બંને જુદી જુદી બાબતો છે તેમ જાણતા જ હશે તો તેમણે મૂર્તિપૂજાને બચાવ કરી વિરોધ વધારવાને બદલે વિરોધીઓને અને જુદી જુદી બાબતો છે એમ સમજાવ્યું હતું તે મૂર્તિ વિરોધ તો તે જ વખતે અટકી ગયો હોત. અને પૂજા વિધિ તદન બંધ તે એકદમ થઈ ન જ શકે તેથી તેમાં સુધારે ફેરફાર કરવાનું શરૂ કર્યું હોત તો મૂર્તિ પૂજા માટે વિરોધ પણ ઉગ્ર ન બનત.
અથવા તો તે વખતે મૂર્તિપૂજક સાધુઓ પણ મૂતિ અને મૂર્તિપૂજામાં એવા ઓતપ્રેત એકરૂપ બની ગયા હતા કે તે બે ભિન્નભિન્ન વિષયો છે એવી તેમને કલ્પના પણ થઈ ન હોય. અને તેથી તેમણે એ રીતે વિચાર પણ કર્યો ન હોય તો એ પણ સંભવિત છે. | ગમે તેમ પણ આ વિષયમાં યથાર્થ વરતુસ્થિતિ સમજવાની શીશ નહિ કરવાના કારણે જ હાલની સ્થિતિ સર્જાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org