SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૧૧ ૧૧૫ સ્થાનવાસીઓના અર્થ છેટા છે વળી જ્ઞાન માટે તો સીધે શબ્દ નાળ છે અને સૂત્રોમાં બધે ઠેકાણે જ્ઞાન માટે ના શબ્દ જ વપરાય છે. ચિત્ય શબ્દને અર્થ અરિહંત કર્યો છે તે તે જ્ઞાનવંત તે અરિહંત એમ ગણીને કર્યો હોય એમ લાગે છે. કારણ કે ચૈત્યને અર્થ સાધુ તો કોઈપણ રીતે બંધબેસતો થઈ શકતો નથી. અને સાધુ માટે નિર્ચથ, ભિક્ષુ, અણગાર, સંયતિ વગેરે શબ્દ સૂત્રમાં મોટે ભાગે વપરાયા છે તો સાધુના અર્થ સાથે સીધે સંબંધ ધરાવતા શબ્દો છેડી દઈને કોઈક જ ઠેકાણે સાધુ માટે વૈરૂચ શબ્દ વાપરવામાં આવે તે સંભવિત લાગતું નથી. પ્રતિમા–પડિમાં શબ્દસૂત્રેામાં પ્રતિજ્ઞાના અર્થમાં વપરાયેલ છે. " પ્રતિમા અર્થ માટે સૂમાં પદમાં શબ્દ વપરાયો છે જેમકે, નાદિમા, ક્ષમા, વગેરે. એટલે તે પ્રમાણે અરિહંતની પ્રતિમા માટે પણ પરિમા શબ્દ જ વપરાયો હવે જોઈએ એમ પણ સ્થાનકવાસીની દલીલ છે. એક રીતે એ દલીલ પણ બરાબર છે. પરંતુ પરિમા શબ્દ મૂર્તિના અર્થમાં બહુ જુજ ઠેકાણે વપરાય છે. કમા = પ્રતિમા શબ્દના બીજા ઘણા અર્થ થાય છે. જેમકે શ્રાવકોની અગીઆર પડિમા અથવા પ્રતિમા. સાધુઓની બાર પડિમા અથવા પ્રતિમા. તેમજ તપના કેટલાક નામમાં પણ પડિમા શબ્દ વપરાયો છે. જેમકે—સમાધિપ્રતિમા, ઉપધાનપતિમાં, વિવેકપ્રતિમા, વિહારપ્રતિમા વગેરે વગેરે. આ બધે ઠેકાણે પડિયા-પ્રતિમાનો અર્થ પ્રતિરા, નિયમ કે અભિગ્રહ જેવો થાય છે પણ મૂર્તિ અર્થ થતો નથી. - સુરેમાં ઝાઝે ભાગે પડિમા શબ્દ પ્રતિજ્ઞા યિમ કે અભિગ્રહના અર્થમાં જ વપરાય છે, ત્યારે ચેઈ = ચૈત્ય શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy