________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
૭ જે દેવોને તેમના આત્મકલ્યાણની ઈચ્છા ન હોય તે “મારે શ્રેયરૂપ શું કરવાનું છે ?” એ વિચાર કેમ આવે? સુર્યભિદેવનો વિચાર જ તેની આત્મકલ્યાણની ઈચ્છા બતાવી આપે છે.
સૂર્યાભદેવે ઉપર પ્રમાણે વિચાર કર્યો ત્યારે તેના સામાનિક દેએ કહ્યું કે
અહીંઆ સૂભ વિમાનમાં સિદ્ધાયતનમાં ૧૦૮ જિનપ્રતિમા છે તે આપને અર્ચા, વંદના, પયુપાસના કરવા યોગ્ય છે. એ આપનું પહેલું કરવા લાયક કામ છે તેમજ પછી કરવા લાયક કામ છે. અને તે વર્તમાનમાં તેમજ ભવિષ્યમાં સદાને માટે શ્રેયસ્કર છે, હિતકારી છે, સુખકારી છે, કલ્યાણકારી છે, વિસ્તાર એટલે મોક્ષનું કારણ છે અને અનુગામિ
એટલે આત્માની સાધે આવનારૂં છે.” .
આથી સિદ્ધ થાય છે કે દેવ તીર્થકરની પ્રતિમાને વાંદે પૂજે છે તે આત્મકલ્યાણ સમજીને કરે છે. એટલે કે તે છતવ્યવહાર આત્મકલ્યાણ માટે હોઈ પહેલાં અને પછી અર્થાતું હમેશ કરવા ગણે છે. * આ ઉપરથી સમજી શકાશે કે દેવોના છતવ્યવહારમાં ધર્મ નથી એમ માનવું એ તદ્દન ભૂલભરેલું છે. પરંતુ એ છત વ્યવહાર પણ વ્યવહાર ધર્મ છે એમ સમજવું.
જ્યારે ભગવાન મહાવીર સ્વામી આમલકમ્પા નગરીમાં પધાર્યા ત્યારે સૂર્યાભદેવે ત્યાં દેવલોકમાં રહીને જ ભગવાનને વાંધા અને મનમાં વિચાર્યું કે
શ્રમણ ભગવાન મહાવીરની એ પર્યપાસના મારે માટે જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, મકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે.”
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org