________________
()
૨૦૬ આભામંડળ
• થોડુંક જાણવા જેવું છે ૦ રંગનાં સાત કિરણો દૃશ્ય, અનેક કિરણો અદૃશ્ય. ૦ રંગ જીવનને લાંબું કે ટૂંકું કરી શકે છે. રંગોનું સંતુલન લાંબું જીવન
આપે છે અને રંગોનું અસંતુલન મોત. ૦ રંગોથી સમ્યક જ્ઞાન અને સમ્યક પ્રયોગથી જીવનને શાશ્વત જેવું
બનાવી શકાય છે. ૦ “તું તારી જાતને જાણ” ની સાથે આ જોડવું જોઈએ – જેવો રંગ તમને
બતાવે છે તેવા તમને પોતાને જાણો.’ Know thyself as your colour dictates. રંગ-ચિકિત્સા એક પૂર્ણ પ્રણાલી છે. બાળક જન્મે છે ત્યારે તેનામાંથી જાંબુડી રંગ બહાર નીકળે છે. એ તીવ્રતમ ગતિથી ચાલે છે. તેની “વવ-લેથ’ ન્યૂનતમ હોય છે. જેમ જેમ એ બાળક મોટું થાય છે, પ્રકંપનની નિરંતરતા તૂટતી જાય છે, એ લાંબા “વેવ-લેથ’વાળા થઈ જાય છે. જ્યારે એ લાલ રંગના અંતિમ છેડે પહોંચે છે ૪૯મા સ્તરે પહોંચે છે ત્યારે તેનું મૃત્યુ થાય છે. નાકના ટેરવે જો લીલો રંગ ન દેખાય તો સમજી લેવું કે પ્રાણી મરી ગયું છે.
માણસના જ નહિ, તમામ પ્રાણીઓના અવયવોના રંગ હોય છે. ૦ માણસ રંગના ૪૯મા પ્રકંપન સુધી જીવિત રહે છે.
નીલા રંગના ૪૯માં પ્રકંપન પર પ્રયોગ કરવાથી રોગમુક્તિ થાય છે. ૦ ૪૯મા પ્રકંપનથી આગળ પ્રકંપનો પર નીલા રંગનો પ્રયોગ કરવાથી
મૃત્યુ થાય છે. આંખના રંગથી આંખના રોગોને જાણી શકાય છે. આંખના બોતેર પ્રકારના રોગ છે. નખના રંગથી લિવરની સ્થિતિ જાણી શકાય છે. શારીરિક બીમારી પકડી શકાય છે.
૦
૦
૦
૦
૦
૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org