________________
પરિશિષ્ટ ૨૦૩ તેનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ આ પ્રમાણે છે:-- શારીરિક શક્તિઓને માનસિક ગુણો સાથે જોડે છે.
એ Spleen અને પેન્ક્રિયાસ – આ બંને ચક્રોથી શક્તિને પ્રવાહિત
કરે છે. -- આ વિચાર અને માનસિક કલ્પનાઓનો સૂચક રંગ છે. -- એ પ્રેમ, પ્રસન્નતા, ભાવનાઓની સજીવતા અને યોગક્ષેમની
ભાવનાને બનાવે છે. -- એ એથરિક-બૉડીને શક્તિશાળી બનાવે છે. [1] લીલો રંગ Green colour
આ નાઇટ્રોજન ગેસનો રંગ છે. એ શાંતિનો રંગ છે. માનસિક શાંતિ અને શરીરના સ્વાથ્ય માટે ઉપયોગી છે. તે માંસપેશીઓ, હાડકાં તથા સેલ્સને શક્તિશાળી બનાવે છે. તે લોહીના દબાણ અને રક્તવાહિની નાડીઓની તાણ–તનાવને હળવી કરે છે. થાકેલા માણસને શરૂમાં લીલો રંગ લાભપ્રદ થાય છે. પરંતુ બાદમાં હાનિકારક થાય છે. તે પિટ્યુટરી ગ્લૅન્ડને સક્રિય કરે છે. માંસપેશીઓ અને ટિસ્યુનું નિર્માણ કરે છે અને સેકસને વકરાવે છે. તે કીટાણુનાશક, ઍન્ટિસેપ્ટિક મનાય છે.
માણસમાં ભાવનાત્મક ગરબડ થાય છે ત્યારે લીલા રંગનાં કિરણો મગજ પર નાખીને સારવાર કરાય છે. તે શક્તિ, યૌવન, અનુભવ, ઉત્પાદન, આશા
અને નવજીવનના પ્રતીકનો રંગ છે. સાથોસાથ તે ઈર્ષ્યા-દ્વેષ અને અંધવિશ્વાસનો પણ સૂચક છે.
[] નીલો રંગ Blue colour
આ રંગનો પ્રભાવ મુખ્ય રૂપે લોહી પર થાય છે. લોહી માટે તે ટૉનિક છે. તે શક્તિવર્ધક, શીતળ, વિદ્યુતીય અને સંકુચન ગુણથી યુક્ત છે. તેનાથી લોહીનું દબાણ વધે છે, નાડીઓ સંકોચાય છે. લોહી વધુ સક્રિય અને ગરમ બની જાય છે ત્યારે તેને સામાન્ય બનાવવા આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. નાડીતંત્રની ઉત્તેજનાને તે ઓછી કરે છે.
ભાવનાત્મક સંજોગોમાં આ રંગથી વધુ લાભ થાય છે. આ રંગ ધ્યાન અને આધ્યાત્મિક વિકાસનો સૂચક છે. તે મનને શાંત કરે છે. વિશુદ્ધિ ચક્રને સક્રિય કરે છે. એ માણસને સ્વાર્થીપણાથી દૂર હટાવી સામાજિક બનાવે છે અને તેને પારિપાવિક વાતાવરણને અનુકૂળ બનાવે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org