________________
લેશ્યા: એક પ્રેરણા છે જાગરણની ૧૭ વિના શાસ્ત્રોની વ્યાખ્યા કરી છે તેઓએ શાસ્ત્રોના અર્થ સાથે અન્યાય કર્યો છે. તેઓએ સત્ય પર પોતાની વ્યાખ્યાનો વાવટો વીંટાળી દીધો જેથી વ્યાખ્યા વાંચનાર શાસ્ત્રની સચ્ચાઈ સુધી પહોંચી ન શકે. આથી આવશ્યક અને અનિવાર્ય છે કે આપણે ધ્યાન દ્વારા આપણી ચેતનાને જાગ્રત કરીએ, જેથી આપણે સચ્ચાઈ સુધી પહોંચી શકીએ અને યથાર્થતાનો સ્પર્શ કરી શકીએ. માત્ર શબ્દો દ્વારા ત્યાં નથી પહોંચી શકાતું. હજારો હજારો વર્ષ પહેલાંની શાસ્ત્રગત અનુભૂતિઓને આપણે શબ્દો દ્વારા કેવી રીતે પકડી શકીએ? અનુભૂતિને પકડવા અનુભૂતિના સ્તરે જવું જરૂરી છે. મહાપુરુષોની ચેતનાને સમજવા માટે મહાપુરુષ જેવી ચેતનાનું નિર્માણ કરવું જરૂરી છે. ચેતનાનું આ નિર્માણ, ચેતનાની આ જાગૃતિ માત્ર ધ્યાન દ્વારા જ સંભવિત છે. મૂચ્છને તોડવા આપણે ચેતનાને જગાડીએ. આ જાગૃતિ દ્વારા જે કાર્ય સંપન્ન થશે તેમાં પહેલું કાર્ય આ હશે: કર્મ-તંત્રની શુદ્ધિ અને બીજું કાર્ય હશે, ભાવ-તંત્રની શુદ્ધિ. ચેતના જ એક એવું શસ્ત્ર છે કે જેનાથી આ બંને તંત્ર સમારી શકાય છે, તેની શુદ્ધિ થઈ શકે છે.
ચેતનાની જાગૃતિની વાત લેગ્યાને સમજ્યા વિના નથી સમજાતી. આપણે ધ્યાનનો અભ્યાસ કરવા ચાહીએ, અધ્યાત્મનો વિકાસ કરવા ચાહીએ, અધ્યાત્મની ઉન્નતિ કરવા ઈચ્છીએ અને અધ્યાત્મ દ્વારા સમસ્યાઓ ઉકેલવા ચાહીએ તો આ જરૂરી છે કે ચેતનાને વ્યાપક બનાવીએ. ચેતનાને વ્યાપક બનાવવી એટલે ચેતનાની પદાર્થ-પ્રતિબદ્ધતાને તોડવી. પદાર્થનો ઉપયોગ થશે પણ ચેતના પદાર્થથી પ્રતિબદ્ધ નિહ રહે.
ઉપયોગ કરવો અને પ્રતિબદ્ધ હોવું એ બંને અલગ વાત છે. રોટલી ખાવી એ પદાર્થની ઉપયોગિતા છે. રોટલીથી બંધાઈ જવું એ તેની પ્રતિબદ્ધતા છે. જેની ચેતના જાગી જાય છે તે પણ રોટલી ખાય છે. ધ્યાન-સાધક પણ રોટલી ખાય છે, પાણી પીએ છે, પૈસા રાખે છે. જીવન-જરૂરિયાતોનાં આ ઉપકરણ છે. સૌના માટે એ જરૂરી છે. ધ્યાન કરવાની મતલબ એ નથી કે પદાર્થ છૂટી જાય. ધ્યાનથી પદાર્થ નથી છૂટતા. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પદાર્થને છોડી નથી શકાતા. આધ્યાત્મિક થવાનો અર્થ એ નથી કે ભૌતિક છૂટી જાય. ભૌતિક છૂટતું નથી. પદાર્થનો ઉપયોગ નથી છૂટતો, માત્ર પદાર્થની પ્રતિબદ્ધતા છૂટી જાય છે. સાધક એ પદાર્થથી બંધાયેલો નથી રહેતો. પદાર્થની ચુંગાલમાં ફસાયેલો નથી રહેતો. ચેતનાની જાગૃતિનું મુખ્ય અને મહત્ત્વનું પરિણામ આ છે કે તેમાં પદાર્થની ઉપયોગિતા શેષ રહે છે અને પ્રતિબદ્ધતા સમાપ્ત થઈ જાય છે. સમસ્યાનું મૂળ ઉપયોગિતા નહિ, પ્રતિબદ્ધતા છે. ધ્યાનથી ચેતનાને જાગ્રત કરવાથી વ્યવહાર સીધો અને સરળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org