________________
આઠ • • •
વિષ – ઝેરનાં પણ રસાયણ છે અને અમૃતનાં પણ રસાયણ છે. આયુવૈદે રસાયણો પર ઘણું કામ કર્યું છે. આયુર્વેદના આચાર્યોએ એવા પ્રયોગ કર્યા કે જેનાથી શરીર સંપૂર્ણ સ્વસ્થ રહી શકે અને તેમાં જમા થયેલાં ઝેર બધાં સોસવાઈ– સુકાઈ જાય. અધ્યાત્મ રસાયણ સમગ્ર રસાયણની પ્રક્રિયા છે. રસાયણોને બદલવાની એ પ્રક્રિયા છે. કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી જાણે છે કે પદાર્થોનાં રસાયણોનું પરિવર્તન કરવાથી નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. માનવીય રસાયણનો પણ આ સિદ્ધાંત છે. હ્યુમન આલ્કમી – human alchemy પર જેઓએ કામ કર્યું છે, જેમને માનવીય રસાયણોની સંરચનાનું જ્ઞાન છે, તેઓ સારી પેઠે જાણે છે કે આપણા શરીરનાં રસાયણોનું પરિવર્તન કરવાથી એક નવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. ધ્યાનની, યોગની અને તપની સંપૂર્ણ પ્રક્રિયા રસાયણ-પરિવર્તનની ભૂમિકા છે.
ઉપવાસ એટલા માટે કરવામાં આવે છે કે શરીરનાં રસાયણ બદલાઈ જાય, રસાયણોની સંરચના બદલાઈ જાય. ખાતાં ખાતાં ઝેરી રસાયણો પેદા થાય છે, જમા થાય છે અને એ રસાયણો મનમાં વિકૃતિ પેદા કરે છે. મનમાં જે વિકાર થાય છે તે વિકારો અનાયાસ નથી ઉત્પન્ન થતા, શારીરિક વિકારોના કારણે એ ઉત્પન્ન થાય છે.
ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું: “હે ભગવન્! બ્રહ્મચર્યની સાધના માટે શું કરવું?” ભગવાને કહ્યું: ‘વ નિવાસ – નિર્બળ ભોજન કરો.” શક્તિશાળી ભોજન ન કરો. ગરિષ્ઠ ભોજન ન કરો. એવું ભોજન કરો જેથી પેટના રોગ મટી જાય. એવું ભોજન ન કરો જેનાથી વાસના ઉત્પન્ન કરનાર રસાયણો પેદા થાય. ફરી પૂછ્યું : “ભગવન્! બીજું શું કરીએ?” ભગવાને કહ્યું: “ઓછું ખાઓ” જેથી રસાયણ એવું ન બને કે જે વાસનાને ઉછેરે ને ઉછાળે. કામ-સંજ્ઞા(વાસના)ની ઉત્પત્તિનાં અનેક કારણ છે. તેમાંનું એક કારણ છે – માંસ અને લોહીનો ઉપચય. શરીરમાં લોહી અને માંસ વધુ હોય છે, તેનો ઉપચય થાય છે ત્યારે કામની સંજ્ઞા તીવ્ર બને છે. આ બધાં રાસાયણિક ક્રિયાઓનાં સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org