SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ-સંપન્ન વ્યક્તિત્વના ઘડતર માટે શક્તિનું જાગરણ ખૂબ જ જરૂરી છે. શક્તિ-જાગરણ વિના ચેતનાની ઊર્ધ્વયાત્રા પણ નથી થઈ શકતી અને આનંદ પણ ઉપલબ્ધ નથી થતો. આથી સર્વપ્રથમ શક્તિ-જાગરણ જરૂરી છે, તેનું સંવર્ધન જરૂરી છે. છે... -- બે શક્તિ કામ કરી રહી છે. એક છે આત્માની શક્તિ અને બીજી છે તેજસ્-શક્તિ – વિદ્યુતની શક્તિ. આપણા આત્માની શક્તિનાં સ્પંદન સતત થઈ રહ્યાં છે. આપણા સૂક્ષ્મ શરીરની ભીતર આત્મિક-શક્તિનાં પ્રકંપન નિરંતર થઈ રહ્યાં છે. તેજના પરમાણુઓ સમગ્ર આકાશમંડળમાં વ્યાપ્ત છે. આપણે તેનું ગ્રહણ કરીએ છીએ. તેનું પરિણમન કરીએ છીએ, તેનો પ્રયોગ કરીએ છીએ. આત્માની શક્તિ અને તેજની શક્તિ – આ બંનેનો જ્યારે યોગ થાય છે ત્યારે આપણી ક્રિયાઓનું સંચાલન થાય છે. શક્તિ વિના વિસ્ફોટ નથી થતો. વિસ્ફોટ માટે શક્તિ જોઈએ. શક્તિ દ્વારા આપણે વિસ્ફોટ કરીએ છીએ અને ભીતર છુપાયેલી ચેતનાને બહાર લાવીએ છીએ. ભીતર છુપાયેલા આનંદના સ્રોતને બહાર લાવીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. તેજની શક્તિ કૉસ્મિક પાવર છે. એ સમસ્ત જગતના કણકણમાં વ્યાપ્ત છે. આકાશનો એક પણ કણ, એક પણ પ્રદેશ એવો નથી જ્યાં તેજસ્ પરમાણુઓની વર્ગણા ન હોય. પ્રશ્ન માત્ર આટલો છે કે આપણે આત્મિક-શક્તિનાં સ્પંદનોને જગાડીએ અને તેજસ્શક્તિને ગ્રહણ કરીએ. આ પ્રક્રિયા આપણે જાણવાની છે. પ્રક્રિયાને જાણ્યા વિના આપણે શક્તિનો ઉપયોગ નથી કરી શકતા. શક્તિને જાગ્રત નથી કરી શકતા. આપણા સૂક્ષ્મ શરીરની ભીતર જ્યાં આત્મિક-શક્તિનાં સ્પંદન થઈ રહ્યાં છે ત્યાં અંતરાયનાં સ્પંદનો પણ થઈ રહ્યાં છે. અંતરાય શક્તિને રોકનારી શક્તિ છે. શક્તિને રોકનાર કર્મ-તંત્ર છે, અંતરાય, એક બાજુથી સ્પંદન બહાર આવે છે, પૂર્ણરૂપે બહાર આવવા ઇચ્છે છે. પૂરો વિકાસ કરવા ચાહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy