________________
भक्तामरप्रणतमौलिमणिप्रभाणा
मद्योतकं दलितपापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा
___ वालम्बनं भवजले पततां जनानाम् ॥ ભગવાન ઋષભના ચરણયુગલને વિધિવત્ પ્રણામ કરીને હું તેમની સ્તુતિ કરીશ, જે ચરણયુગલ ભક્ત દેવતાઓના ઝૂકેલા મુગટના મણિઓની પ્રજાને પ્રકાશિત કરી રહ્યું છે, પાપરૂપી અંધકારના વિસ્તારને ઓગાળી રહ્યું છે, યુગના આરંભે સંસારસમુદ્રમાં પડતાં પ્રાણીઓને સહારો આપી રહ્યું છે.
२. या संस्तुतः सकलवाङ्मयत्त्वबोधा -
दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः ।। स्तोत्रैर्जगत्रितयचित्तहरैरुदारैः
__ स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम । સંપૂર્ણ વાલ્મયના તત્ત્વજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી સભર ઈન્દ્રો દ્વારા ત્રણેય જગતના ચિત્તનું હરણ કરનાર વિશાળ સ્તોત્રો વડે જેની સ્તુતિ કરવામાં આવી છે, તે પ્રથમ તીર્થકર (ભગવાન ઋષભ)ની હું પણ સ્તુતિ કરીશ.
३. बुद्ध्या विनाऽपि विबुधार्चितपादपीठ !
स्तोतुं समुद्यतमतिर् विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितामिन्दुबिम्ब
मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ દેવતાઓ દ્વારા અર્ચિત પાદપીઠવાળા, પ્રભુ ! બુદ્ધિરહિત હોવા છતાં મારી મતિ આપની સ્તુતિ કરવા માટે ઉદ્યત બની રહી છે. તેનું કારણ છે -મારો સંકોચશૂન્ય ભાવ અથવા સાહસ. પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને પકડવાની બાળક સિવાય બીજું કોણ
ઇચ્છા કરે ? પછી કાકાસાત વાલિયાવાલા ભકતામર : આંતરસ્તાનો પર્શ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org