SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો ગોવિંદ રાનડે, ભેળાનાથ સારાભાઈ જેવા વિદ્વાનોએ સક્રિય પ્રયત્ન કર્યા. આ સંસ્થાને મૂળ હેતુ વર્ણભેદને ઈનકાર, વિધવાવિવાહની છૂટ, સ્ત્રીશિક્ષણ, બાળલગ્નપ્રથાને નિષેધ વગેરે હતા. આ સંસ્થાની વિશિષ્ટતા એ હતી કે બ્રહ્મસમાજની માફક તેણે હિંદુસમાજ સાથે સંબંધ તોડી ન નાખે. બ્રહ્મસમાજ અને પ્રાર્થના સમાજની સાથે સાથે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. આર્યસમાજની પ્રવૃત્તિ દ્વારા દયાનંદને હેતુ પ્રાચીન વેદધર્મને ફરીથી પ્રતિષ્ઠિત કરવાને હ. ઈ. સ. ૧૮૨૪માં સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં જન્મેલા દયાનંદે નાની ઉંમરે ગૃહત્યાગ કરી વિરજાનંદ નામના ગુરુ પાસે દીક્ષા લઈ ધર્મસુધારણુનું કાર્ય આરંભળ્યું. અંધશ્રદ્ધા, વહેમ, મૂર્તિપૂજા, બાળલગ્ન ને સામાજિક રૂઢિઓ સામે બંડ ઉઠાવ્યું. સ્ત્રીશિક્ષણની હિમાયત કરી હિંદુધર્મના રક્ષણની ભાવના કેળવી. ગુજરાતમાં જન્મેલા આ સુધારકે પંજાબ અને ઉત્તર ભારતમાં પ્રાચીન વેદધર્મને પુનઃ પ્રતિષ્ઠિત કરવા તથા રાષ્ટ્રિય શિક્ષણને વેગ આપવા પ્રયત્ન કર્યા અને તેમાં જ તેમનું અકાળે અવસાન થયું. તેમને ઉપદેશ “સત્યપ્રકાશ નામના ગ્રંથમાં સંગ્રહવામાં આવ્યું છે. આર્યસમાજની અસર પંજાબ અને ઉત્તર ભારતમાં વિશેષ છે. આ યુગની સામાજિક અને ધાર્મિક વિચારસરણીને પલટી નાખવામાં શ્રીમતી એની બેસંટે થિયોસોફીકલ સોસાયટી દ્વારા નોંધપાત્ર ફાળો આપ્યું. તેઓ સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી હતાં. હિંદુધર્મનાં સુધારક મનાતાં. બનારસમાં હિંદુ કોલેજની સ્થાપના થઈ. ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ઍની બેસંટે દેશવિદેશમાં અનેક કેન્દ્રો શરૂ કર્યા હતાં. ભારતની નવજાગૃતિમાં થિસેફી દ્વારા મેડમ બ્લેટસ્કી અને એની બેસંટને ફાળે નોંધપાત્ર છે. આ યુગની સર્વોત્તમ ભેટ તે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ છે. આ ગુરુશિષ્યની જોડીએ ભારતીય સંસ્કૃતિને પ્રતિષ્ઠિત કરવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યું છે. બાળપણથી જ સ્વામી રામકૃષ્ણ સંન્યસ્તના માર્ગે હતા. ઈ. સ. ૧૮૩૬માં બંગાળના હુગલી જિલ્લાના કુમારપુકુર ગામમાં જન્મેલા આ બાળકના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણિદેવી હતું. તેમણે કલકત્તાનાં કાલી માતાના પૂજારી તરીકે કાર્ય કરતાં કરતાં માનવધર્મને, ઉપદેશ વહેતો કર્યો. તેમના ઉપદેશને મુખ્ય હેતુ સર્વધર્મ સમભાવનાને તથા સત્યનું સ્વરૂપ સમજવાનું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy