________________
પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથ સામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બર્ડ સ્થાપવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓનાં પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્ય પુસ્તક અને સંદર્ભ ગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનિયન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષય માટે નિયત થયેલ પાઠ્યક્રમના સંદર્ભમાં “ભારતીય ધર્મો ” નામનો ગ્રંથ પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે આ ગ્રંથના લેખક ડૉ. નવીનચંદ્ર આનંદીલાલ આચાયે પિતાના જ્ઞાન અને અનુભવોને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ ગ્રંથનું પરામર્શન કરવા માટે છે. હરિપ્રસાદ ગ, શાસ્ત્રીને આભાર માનું છું.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેર્ડ,
જે. બી. સેડિલ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬,
અધ્યક્ષ. ઓગષ્ટ, ૧૯૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org