________________
હિંદુધર્મ
૩૫
સાંખ્યના નામે ઓળખાય છે. આગળ જતાં તેમાં ઈશ્વરનું તત્વ ઉમેરાતાં તે સેશ્વર સાંખ્ય તરીકે ઓળખાયું છે. આ દર્શનમાં જગતના મૂળમાં પ્રકૃતિ અને પુરુષ એવાં બે તરવો રહેલાં છે એવી કલ્પના કરવામાં આવી છે. પ્રકૃતિ પોતે જડ છે અને ત્રિગુણમિકા છે. પ્રકૃતિના ત્રણ ગુણ છેઃ (૧) સત્વ (૨) રજસ (૩) તમસ પુરુષ પોતે શુદ્ધ અને ચૈતન્યમય છે. આમ છતાં અજ્ઞાનને કારણે અને પ્રકૃતિના સંધને કારણે પ્રકૃતિને ત્રણ ગુણને તે પિતાના ગણે છે અને પરિણામે સંસાર સર્જાય છે. સાંખ્યને બીજો અર્થ જ્ઞાન થાય છે. પ્રાચીન ભારતનું આ અત્યંત લોકપ્રિય દર્શન છે. જેને ઉલ્લેખ મહાભારત, રામાયણ, ભગવદ્ગીતા, પુરાણે વગેરેમાં જોવા મળે છે.
યોગદર્શનનાં સૂત્ર મહર્ષિ પતંજલિએ રચ્યાં છે. આ કારણથી તે પાતંજલરોગ તરીકે ઓળખાય છે. સિદ્ધાંતોની બાબતમાં તે સાંખ્યને અનુસરે છે પણ સાંખ્યમાં જે ઈશ્વરને સ્વીકાર કરવામાં નથી આવ્યો તેને અહીં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારણથી આ દર્શન સેશ્વર સાંખ્યના નામે ઓળખાય છે. અહીં પુરુષ અને પ્રકૃતિના વિવેક માટે આઠ અંગવાળે સાધનમાર્ગ બતાવા હોવાથી તે અષ્ટાંગ યોગ'ના નામે ઓળખાય છે. યોગનાં આઠ અંગ તે : (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણ (૭) ધ્યાન (૮) સમાધિ છે. ચોગદર્શનમાં ચિત્તની શુદ્ધિ માટે આ આઠ અંગોની સાધના બતાવાય છે. પ્રાચીન ભારતનું માનસશાસ્ત્ર તે ગ છે. (૨) ન્યાય અને વૈશેષિક
ન્યાયદર્શનના રચયિતા ગૌતમ મુનિ છે. સત્ય જાણવા માટે એમણે આ દર્શનની વિસ્તારથી ચર્ચા કરી છે. અનુમાન કેવી રીતે કરવું અને સાચું અનુમાન કરવામાં કેવી મુશ્કેલીઓ આવે છે તે ન્યાયદર્શનને વિષય છે. ન્યાયદર્શન તે પ્રાચીન ભારતનું અનુમાનશાસ્ત્ર છે. આમાં ૧૬ પદાર્થ ગણાવ્યા છે. આ દર્શનમાં બતાવ્યું છે કે આત્મા શરીરથી ભિન્ન વસ્તુ છે અને આ જગતને કર્તા ઈશ્વર છે.
વૈશેષિકદર્શનનાં સૂત્રો કણાદ મુનિએ રચેલ છે. આ દર્શનમાં છ પદાર્થ અને નવ દ્રવ્યોના વિશેષ ગુણ બતાવવામાં આવે છે. આગળ જતાં “અભાવ” નામે સાતમે પદાર્થ ઉમેરાશે અને તેથી જ તે વિશેષિકદર્શન તરીકે ઓળખાય છે. પરમાત્મા અને આત્મા સંબંધી જ્ઞાન મેળવવા માટે છ પદાર્થ અને નવ દ્રવ્યોની જાણકારી જરૂરી છે. આ દર્શનમાં અણુ અને પરમાણુ અંગેની વિગતો આપેલ છે, તે વિજ્ઞાનની દૃષ્ટિએ ઘણું મહત્વની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org