________________
હિંદુધર્મ ખર્ચાળ છે. સમય અટપટા અને વધારે ખર્ચાળ હોય છે. તે સામૂહિક યજ્ઞો છે. આ યજ્ઞમાં પુરોહિતનું વર્ચસ મુખ્ય મનાતું. આવા યજ્ઞોમાં રાજસૂય અને અશ્વમેઘયજ્ઞ નેધપાત્ર છે. આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધ્રુવ બ્રાહ્મણ ગ્રંથાને વેદ ઉપરની ટીકા-પ્રવચન તરીકે ઓળખાવે છે. આ ગ્રંથેને અભ્યાસ કરતાં જણાય છે કે યજ્ઞો માત્ર અર્થ વગરની જાદુઈ ક્રિયાઓ જ ન હતી પણ એમાં ઋષિઓએ પિતાના કેટલાક ધાર્મિક વિચારો મૂર્તિમંત કરેલા છે. આ ગ્રંથમાં યજ્ઞાની અટપટી વિધિઓ સાથે પ્રાચીન એકેશ્વરવાદની ભાવના પણ નજરે પડે છે. આરણ્યકો અને ઉપનિષદ
વેદ સાહિત્યનો છેલ્લે વિભાગ તે આરણ્યકે અને ઉપનિષદે કહેવાય છે. કેટલીકવાર બ્રાહ્મણ સાથે આરણ્યક અને ઉપનિષદ સળંગ જોડાયેલા હોય છે. આ સર્વ મળી વેદ કહેવાય છે. આ વદ અંત ભાગ હોવાથી તેને વેદાંત પણ કહે છે.
આરણ્યક' એ બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની કડી છે. કેટલાકના મતે એ ગ્રંથે અરણ્યમાં રચાયા હોવાનું તે કેટલાકના મતે તે ગ્રંથોનો અભ્યાસ અરણ્યમાં જઈ કરવાને હેવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે આ ગ્રંથ “પરબ્રહ્મની ઉપાસના કરનાર માટે માર્ગ સૂચક છે. આ ગ્રંથની રચનામાં પણ અનેક ઋષિમુનિઓને ફાળે છે. આ ગ્રંથેમાંથી મળતી વિગત પરથી એટલું સ્પષ્ટ થાય છે કે અરણ્યમાં જઈ ધર્મપરાયણ જીવન ગાળનાર ઋષિમુનિઓએ તેની રચના કરી હશે. તેમાં ય અને તરવજ્ઞાનની ચર્ચા કરેલ છે.
વેદને છેવટને ભાગ ઉપનિષદ કહેવાય છે. તે વેદને અંત ભાગ હેઈ વેદાંત”ના નામે પણ ઓળખાય છે. ઉપનિષદમાં ભારતીય તત્ત્વજ્ઞાનને અર્ક પડે છે. ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે ઉપનિષદના પાયા પર ભારતના દર્શનેની ઈમારત ચાઈ છે. આ ગ્રંથમાં જે જીવનદર્શન ભરેલું છે તે તે આજે પણ આપણને જીવન જીવવાની સૂઝ આપે છે. તેની અંદર માનવધર્મની ચર્ચા કરવામાં આવી છે. દુનિયાના દેશોમાં આધ્યાત્મિક દેશ તરીકે ભારતનો જે ગણના થાય છે તેનું કારણ ઉપનિષદનું તત્વજ્ઞાન છે. આ ગ્રંથમાં કઈ પણ પ્રકારને ભેદભાવ રાખ્યા વિના તિમિરમાંથી તેજમાં અને મૃત્યુમાંથી અમૃત તરફ જવાનું બતાવેલ છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે “દેશ દેશમાં વ્યાપી રહેલી ધરતીના જેવી વિશાળતા એમાં પડેલી છે.”
ઉપનિષદ શબ્દના જુદા જુદા અર્થ થાય છે. સંસ્કૃત ધાતુ ઉપ +નિ + સદ ઉપરથી તેને એક અર્થ ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એવો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org