SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્રિસ્તી ધમ ગુપ્તતાથી આચરજો. જ્યારે તમેા દાન કરો ત્યારે જમણા હાથનું કા ડાબા હાથને પણ ખબર ન પડે તેની કાળજી રાખશેા, પ્રેમનું રાજ્ય એ પ્રભુનું રાજ્ય છે. સોંપત્તિના ખાટી રીતે સ ંગ્રહ ન કરશેા, પણ સત્કાર્યોમાં તેના ઉપયોગ કરજો. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખશેા. જીવનમાં ખાટી ચિંતાને સ્થાન ન આપશે. આગળ વધતાં ઈસુ કહે છે કે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કઈ ફરિયાદ છે, તા તારુ નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરજે.” સવ માણુસા પ્રત્યે પ્રેમ, ક્ષમા અને અહિ ંસા ન દર્શાવાય તે ગમે તેવી પ્રાર્થના, પૂજાપાઠ વગેરે નકામાં છે. પશ્ચાત્તાપ દ્વારા જ મનની શુદ્ધિ થઈ શકે છે. ઉપરના ઉપદેશ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસુના ઉપદેશમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ સમાયેલું છે. ભગવાન બુદ્ધ, મહાવીર, અષ। જરથુષ્ટ્ર, હજરત મહમદ પયંગબર વગેરે સર્વે ધર્મોપદેશક એ પણ આ જ વાત કહેલી છે. પયગંબરાની વાણીમાં માનવ કલ્યાણના સદેશ સમાયેલા છે. તેમાં કાઈ સાંપ્રદાયિક સિદ્ધાંતા કે તત્ત્વજ્ઞાનની વાત નથી પણ પ્રેમ, સત્ય અને અહિંસા દ્વારા સદાચરણ ઉપર ભાર મૂકવામાં આવેલ છે. પ્રેમ, સેવા અને સદાચાર ઉપર જ ઈશ્વરનું રાજ્ય અવલ એ છે. આમ ઈસુના ઉપદેશ માનવ સ ંસ્કૃતિને મહામૂલ્યવાન અમર વારસા છે, ઈસુના મૃત્યુ બાદ ખ્રિસ્તી ધર્મના વ્યાપક પ્રચાર શરૂ થયા. લોકાને તેમના ઉપદેશની યથાર્થતા સમજાવા લાગી. ધીરેધીરે આ ધર્મના પ્રચાર છેક યુરાપ અને અમેરિકા સુધી વિસ્તર્યો છે. ખ્રિસ્તી ધર્માંના પ્રચારમાં સત પાલ (St. Paul), સ ંત આગસ્ટાઈન વગેરેએ મહત્ત્વના ભાગ ભજવ્યો છે. સત પૉલે ઈસુના ઉપદેશને ગ્રીક તત્ત્વજ્ઞાન સાથે વણી લીધે, જ્યારે ઔગસ્ટાઈને પોતાના ઉપદેશ દ્વારા ખ્રિસ્તી સ ંધા અને ચંનું મહત્ત્વ વધાર્યું. તેમના સમયમાં રામન રાજવી કોન્સ્ટેન્ટાઈને ખ્રિસ્તી ધર્મ ના સ્વીકાર કરતાં સમગ્ર યુરોપમાં ખ્રિસ્તી ધ ફેલાયા. સમય જતાં ખ્રિસ્તી ધર્મોમાં સંધ અને ચંનું વસ વધતાં એકતા સચવાઈ નહિ. આથી અન્ય ધર્મોની માફક અહીં પણ મતભેદ્ય શરૂ થયા. પરિણામે શમન કેથલિક અને પ્રોટેસ્ટટ જેવા પથે! પડી ગયા. રામન કેથલિક સ ંપ્રદાયવાળા પેપ અને સ ંધને વધારે મહત્ત્વ આપે છે. ચર્ચ અને દીક્ષાને પ્રાધાન્ય આપે છે. ભા. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy