________________
ખ્રિસ્તી ધર્મ
૨૦૪
કે “અહીં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટેની સારી તક છે.” આથી તેઓ ભારતમાં જ સ્થિર થયા અને પિતાનું ધર્મકાર્ય કરતાં કરતાં અહીં જ મૃત્યુ પામ્યા. તેમણે પિતાના અહીંના લાબા નિવાસ દરમ્યાન સંસ્કૃત, મરાઠી, કંકણ વગેરે ભાષાઓને અભ્યાસ કરી “ખ્રિસ્તી પુરાણું” નામને એક ગ્રંથ બાઈબલને આધારે રચ્યું હતું. મરાઠી અને કાંકણી ભાષાનાં વ્યાકરણે પણ તેમણે ફિરંગી ભાષામાં તૈયાર કર્યા હતાં. આમ પંદરમી–સોળમી સદીમાં ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં ધર્મપ્રચારાર્થે જે જે લેકે પોગી કાર્યો કર્યા તેને આ ખ્યાલ ફાધર સ્ટેફનનાં કાર્યો પરથી આવે છે.
ઈ. સ. ૧૬૯૫ દરમ્યાન ભારતમાં આવેલ ફાન્સિસ ગેમિલી નામને એક ઇટાલિયન મુસાફર પિતાની નોંધમાં જણાવે છે કે આ સમય પશ્ચિમ ભારતના ગુજરાત પ્રદેશમાં જેસ્યુઈસ્ટ અને ઓસ્ટિનિયન્સ નામનાં બે ખ્રિસ્તી પંથનાં દેવળે હતાં. આ બંને સંપ્રદાયને પાદરીઓ આ પ્રદેશમાં વસતા હતા. - મરાઠાકાત દરમ્યાન દીવ, દમણ, મેવા વગેરે પ્રદેશ ફિરંગીઓના કબજામાં હતા. આ પ્રદેશમાં તેમણે ઠીક ઠીક ધર્મપ્રચારનું કાર્ય કર્યું હતું. અંગ્રેજોના આગમનને કારણે આ પ્રદેશો ઉપરાંત દક્ષિણ ભારતના કાલીકટ, મદ્રાસ વગેરે પ્રદેશોમાં તથા ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં ખ્રિસ્તીધર્મને ઠીક ઠીક ફેલા થયે. આ સમય દરમ્યાન ભારતમાં ખ્રિસ્તી ધર્મની રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટ શાખાને વિકાસ થયો. જેમ જેમ ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર વધે તેમ તેમ ખ્રિસ્તી મિશનરીઓએ ધર્મના નામે ધર્માતરની પ્રવૃત્તિઓ આદરી. ભારતની આદિવાસી પ્રજાને ખ્રિસ્તી બનાવવાની વ્યવસ્થિત જનાઓ શરૂ થઈ. આ સાથે અંગ્રેજ શાસકે અને ખ્રિસ્તી મિશનરીઓને સંયુક્ત પ્રયાસથી ખ્રિસ્તી ધર્મના પ્રસાર સાથે અંગ્રેજી ભાષાને પ્રસાર પણ વધે. આના પરિણામે પશ્ચિમના સાહિત્ય અને વિજ્ઞાનની અસરને લીધે ભારતના સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિ શરૂ થઈ. આની શરૂઆત ખાસ કરીને સહુ પ્રથમ બંગાળ અને ગુજરાતથી થઈ. ભારતીય પ્રજા અંગ્રેજી ભાષા અને ખ્રિસ્તી ધર્મને નવી દષ્ટિથી. જોવા લાગી. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં પ્રચલિત હિંદુધર્મની મૂર્તિપૂજા અને વિવિધ દેવદેવીઓની પૂજાને અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાના પ્રતીક તરીકે ઓળખાવી.. ખ્રિસ્તી ધર્મ શ્રેષ્ઠ છે એ પ્રચાર કરવા લાગ્યા, આ સાથે અંગ્રેજોએ ખ્રિસ્તી. થનાર હિંદુઓને કર માફી, તથા રાજ્યની સારી નેકરીઓની લાલચ આપી. ખ્રિસ્તી ધર્મપ્રચારના કાર્યને વેગ આપ્યું. આના પરિણામે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરઓને રાજકીય પીઠબળ મળતાં તેમનામાં ધાર્મિક ઝનૂન દાખલ થયું. હિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org