________________
ભારતીય ધર્મ નામે અને ઈશ્વરના નામે અનેક અનાચાર સર્જાય છે. અહીં ધર્મનું સ્વરૂપ સંકુચિત થઈ જાય છે.
જેમ સંસ્કૃતિને પાયે વિચાર છે તેમ ધર્મને પાય પણ વિચાર છે. સંસ્કૃતિ જેમ માનવ સમાજમાં વિકસે છે, તેમ ધર્મ પણ માનવ સમાજમાં વિકસે છે. માનવી એ સામાજિક પ્રાણી છે. સંસ્કૃતિને નિર્મળ બનાવવા માટે સમાજને નિર્મળ બનાવવો જોઈએ. મનુષ્ય કર્તવ્યનિષ્ઠ અને નિસ્વાર્થી બને તે સમાજ નિર્મળ બને. મનુષ્યને કર્તવ્યનિષ્ઠ બનવા માટે ધર્મની આવશ્યકતા છે.
સંસ્કૃતિની જેમ ધર્મ પણ માનવ સમાજની પેદાશ છે. સંસ્કૃતિના મૂળમાં જેમ વિચાર રહે છે તેમ ધર્મના મૂળમાં પણ વિચાર રહેલો છે. દુનિયાની. સંસ્કૃતિઓને ઈતિહાસ કહે છે કે ધર્મ અને સંસ્કૃતિ સિક્કાની બે બાજુએ છે. આ બંનેને સંબંધ માનવ જીવન સાથે સંકળાયેલો છે. તે સતત ચાલુ રહેતી. પ્રક્રિયા છે. આ વાત સમજાવતાં ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “ધમ એ. પરિપકવ ફળ નથી પણ વિકાસ પામતું વૃક્ષ છે. બંધિયાર સરોવર નથી પણ સતત વહેતે નદીને પ્રવાહ છે. ધર્મ વહેમ નથી, સત્તાધીશોને કાયદો નથી. સ્વાર્થી ધર્મગુરુઓએ પ્રજાને ઘેનમાં નાખવા જેવું અફીણ નથી, પરંતુ જીવનમાર્ગ છે.” આ જ વાતને સમજાવતાં શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે કે,
ધર્મ તેમજ સંસ્કૃતિ એ બે શબ્દ જીવન જેટલા જ ગહન છે. તેને મર્મ સહેલાઈથી પામી શકાતો નથી.” સંસ્કૃત શબ્દ ધર્મને પર્યાય આપી શકે તેવો. એક પણ શબ્દ દુનિયાની ભાષામાં નથી.
દુનિયાની સંસ્કૃતિઓને અભ્યાસ કરતાં જણાય છે કે આદિકાલમાં તો જાદુ, ધર્મ તેમજ વિજ્ઞાન એક જ અર્થ ધરાવતાં હતાં. જ્યારે માનવીને કુદરતમાં થતાં પરિવર્તનને ખ્યાલ આવ્યો ન હતો, કુદરતની આપત્તિઓ સામે ટકી રહેવાને તેને કોઈ ઉપાય જડતો ન હતા, જંગલી પશુઓને ભય તેને સતત સતાવતો રહે, તથા રોજિંદા જીવનમાં ક૯પી ન શકાય તેવા બનતા બનાવો માટે તે અસમર્થ બન્યા હતા, ત્યારે તેને અલૌકિક શક્તિને ખ્યાલ આવ્યું. તેના શરણે જવાની ઈચ્છા થઈ. ધીરે ધીરે તેને ખ્યાલ આવ્યો કે આ શક્તિ દ્વારા પિતાનું રક્ષણ થઈ શકે છે અને આમાંથી ધર્મ અને તત્વજ્ઞાનનું સર્જન થયું. માનવી સંસ્કૃતિના માર્ગે, વિકાસના માર્ગે વળે. આમ ધર્મ અને સંસ્કૃતિ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે.
આથી જ ધર્મને સાચા સ્વરૂપના અભ્યાસની જરૂર છે. અંજને માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org