SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અથશ્રી, જૈન શાસનના ચમકતા હીરા'નું પ્રકાશન કર્યા બાદ આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવા ગુરુદેવ પન્યાસ શ્રી જયસુંદરવિજય મહારાજે સૂચના કરી, એટલે આ ગ્રંથ માટેનું કાર્ય આરંભ્યું. મા સરસ્વતીની અગમ્ય પ્રેરણા એ મોટું નિમિત્ત ગ્રંથરચનામાં છે. એણે જ આ બધું લખાવ્યું છે એમ હું માનું છું. આ ગ્રંથ માટે અમુક મર્યાદાઓ મનથી નક્કી કરી કે આમાં ફક્ત ભૂતકાળમાં થયેલ જૈન મહાત્માઓનાં ચરિત્રો જ લખવાં, બની શકે એટલું ટૂંકામાં ચિરત્ર લખવું. દરેક ચરિત્રમાં કંઈક બોધતત્ત્વ હોવું જોઈએ. ઉપરાંત વાર્તાઓ ઉપદેશક હોવા છતાં તેમાં વાર્તાતત્ત્વ જરૂર જોઈએ. આ નિયમને વળગીને જ આ ચરિત્રો તૈયાર કર્યાં છે. આ જમાનામાં લોકોને અધ્યાત્મ તરફ ઝુકાવ ઓછો છે. ટી.વી. જોવા પૂરતો ટાઈમ લોકોને મળી રહે છે પણ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા સમય નથી. આવા આત્માઓનું કલ્યાણ કેમ થાય? એ વિચારવું બહુ જરૂરી છે. લોકોને વાર્તા સાંભળવામાં રસ હોય છે. તેમને બોધપાઠ-વાર્તાઓ જ વાંચવા આપીએ તો કંઈક અંશે તેમનું કલ્યાણ સાધી શકાય. પત્નીનું અવસાન ને વૃદ્ધાવસ્થા, એકાકી જીવનમાં વખત કેમ પસાર કરવો એ એક કોયડો ઉકેલવાનો હતો અને વિચારતાં વિચારતાં જ્ઞાનદાયક વાર્તાઓ કેટલીક વ્યાખ્યાન દ્વારા સાંભળેલી મગજમાં હતી જ. આ અને બીજી વાર્તાઓ ધાર્મિક ગ્રંથોમાંથી વાંચી કાગળ ઉપર ટૂંકાણમાં ઉતારવા નક્કી કર્યું અને પરિણામે આ બે ગ્રંથો રચાયા. જૈન સમાજના સદ્નસીબે આપણી પાસે ધાર્મિક સાહિત્ય ઘણું સંઘરાયેલું પડ્યું છે. આનો ઉપયોગ ઘણો જ ઓછો થાય છે. એમાં જે યોગ્ય લાગે તે સમાજ સામે ધરવું એ કંઈ મોટું કામ નથી. હા, શોખ હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy