________________
? ૫૪ :
આવશયક મુક્તાવલી : પચીશ ખટ દિવસ જ પાળવાને પ્રતિબંધ નથી, કિન્તુ દેશરીતિ જ કહેલ છે. સ્નાન કર્યા પછી શ્રી પ્રભુપૂજાને નિષેધ નથી. એક ગોત્રવાળાને અમુક દિવસનું સૂતક, પરદેશમાં જન્મ અથવા મૃત્યુ થયું હોય તો અમુક દિવસનું સૂતક, મૃતકને અડકે, ખાંધ દે કે બાળવાનું વિગેરે કાર્ય કરે તેને અમુક દિવસનું સૂતક, અમુક વર્ષની વયવાળો મરણ પામે તો અમુક દિવસનું સૂતક ઇત્યાદિ વિષયમાં કોઈ પણ પ્રમાણિક ગ્રન્થમાં કંઈ પણ જાતના ખુલાસે નથી, છતાં કેટલાક મરજી મુજબ બેલે છે અને લખે છે તે Sચત નથી.
આ લંબાનું વિવેચનથી વાંચકોને માલૂમ પડશે કે આજકાલ સૂતકના નામે સમાજમાં જે પ્રકૃતિને ઉતેજન અપાય છે તે અનુચિત છે. આમાં એક ભવાળાને કશોએ બાધ હોવાનું શાસ્ત્રકાર મહારાજે જણાવ્યું નથી. જેઓ એકતાલીસ વિગેરે દિવસ સુધી વહોરાવવું નહિ, અમુક દિવસ સુધી પ્રભુપૂજા કરવી નહિ. સામાયક પ્રતિક્રમણ કરવા નહિ, ઈત્યાદિ માને છે, તેઓ કેવલ ધર્મને અંતરાય પોતે પામે છે અને બીજાઓને પમાડે છે, એ ભૂલવા જેવું નથી.
પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આ સૂતક સંબંધી હરપ્રશ્નોત્તરી નામના પ્રસ્થમાં અંકબરનરેશ પ્રતિબેધક જગદૃગુરુ મહાત્માવિ પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્દ હીરસૂરીશ્વરજી મહારાજે આપે છે, તે પણ ગુવા લાયક હોઈ નીચે પ્રમાણે આપવામાં આવે છે. - શ્રી હરિપ્રશ્ન—ચોથો ઉલ્લાસ . येषां गृहे पुत्रपुत्रीजन्म जातं भवति तद् गृह मनुजोः खरतरपक्षे स्वगृहपानीयेन देवपूजां न कुर्वन्ति, तद् यति. नोऽपि तद् गृहे दश दिनानि यावत् न विहरन्ति तदक्षराणि कुत्र सन्ति ? आत्मपक्षे चैतदाश्रित्य को विधिरिति ? प्रचार
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org