________________
સ્તવને માતાને મેલ્યા એકલા રે, જાય દિન નવિ રાત; (૨). રત્નસિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય. (૨) મેરે ૨ વહાલાનું નામ નવિ વિસરે રે, ઝરે આંસુડાની ધાર; (૨) આંખડલી છાયા વળી, ગયા વરસ હજાર (૨) મેરે ૩ કેવળરત્ન આપી કરી રે, પૂરી માતાની આશ; (૨) સમવસરણ લીલા જોઈને, સાધ્યા આતમ કાજ (૨) મેરે. ૪ ભક્તિવત્સલ ભગવંતને રે, નામે નિર્મળ કાય; (૨) આદિ જિર્ણોદ આરાધતા, મહિમા શિવસુખ થાય. (૨) મેરે૫
૪. શ્રી સિદ્ધાચલજીનું પ્રભાતીયું. જાગ તું જાગતું આતમા માહરા, ભગવંત ભેટીએ સુખકારી; શેત્રુજામંડન મરુદેવાનંદન, આદિ જિન દિયે ચિત્તધારી.
જાગ ૧ પાંચસે ધનુષ્યની રત્નમય જાણયે, ભરતરાયે પ્રતિમા ભરાવી, દુષમા કાળ વિચારી પશ્ચિમ દિશિ, મહાગિરિ કંદરામાં વસાવી.
જાગ ૨ પાંચસે ધનુષ્યની શોભના મૂરતિ, જે ભાવે પુણ્યથી દર્શ પાવે; બહુ ભવસંચિત પાપના ઓઘને, ટાળી ત્રીજે ભવે સિદ્ધિ જાવે.
જાગ ૩ ઈન્દ્રિય વશ કરી નિર્મલ મન ધરી, વિધિ સહિતનાભિનંદન પૂછ જે; ભાવના ભાવીએ ચિત્તમાં લાવીયે, હે મનુજ ભવ સફલ કીજે.
જાગ૦ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org