________________
રત્નાકર પચ્ચીશી
: ૪૯૯ : પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું,
પાટ ચાર ગતિતણે સંસારમાં ખેલ્યા કરે. ૧૫ આયુષ્ય ઘટતું જાય તે પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તે નવ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના થર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથો; રવિણમ હતા શાને કરી પ્રભુ આપશ્રી તે પણ અરે ! દી લઈ કૂવે પડ્યો વિકાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળ્યો નહિ; પામે પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું, ધાબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનું ક૯પત ચિંતામણીના પ્યારમાં, બેટા છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારે ધર્મ તે સે નહિ, મુજ મૂખે ભાવોને નિહાળી નાથ! કર કરુણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતગ્યા તે રાગ સમ ચિંત્યા નહિ, આગમન ઇચ્છયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિં; નહિ ચિંતયું મેં નક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશામહીં ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારવડે સાધુ હદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થના ઉદ્ધાર આદિ કેઈ કાર્યો નવ કર્યા, ફગટ અરે! આ લક્ષ રાશીતણું ફેરા ફર્યા, ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org