________________
રત્નાકર પચ્ચીશી
= ૪૦૭ : વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ, જાણો છતાં પણ કહી અને આ હદય હું ખાલી કરે. ૨ શું બાળકે મા–બાપ પાસે બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવિ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. ૩ મેં દાન તે દીધું નહિ ને શિયળ તે માન્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ; એ ચાર ભેદે ધર્મમાંથી કોઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હું ક્રોધ અગ્નિથી બન્યો વળી લભ સર્ષ ડો મને, ગજે માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન! મહા મુઝાય છે, ચઢી ચાર ચાર હાથમાં, ચેતન ઘણે ચગદાય છે. ૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પાપે નહિ; જન્મ અમારા જિનછ? ભાવ પૂર્ણ કરવાને શમા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયે. ૬ અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ ભિંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તે વિભુ! પત્થરથકી પણ કઠણ મારું મન ખરે કયાંથી દ્રવેશ મરકટ સમા આ મનથી હું તે પ્રભુ હાર્યો હવે ૭ ભમતાં મહા ભવસાગર પામ્યો પસાથે આપવા, જે જ્ઞાન-દર્શન-ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું હું ખરું, કોની કને કિરતાર આ પિોકાર જઇને કરૂ ? ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org