________________
: ૨૪ર :
આવશ્યક મુક્તાવલી : આઠમે પછી ઉઠતા ત્રણે વાર સિરે કહે, ઉપાશ્રયે આવી પગ અપવિત્ર થયા હોય તે જોઈને વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ ખમાસમણ દઈ ઇરિયાવહિયં પકિમી ખમાસમણ દઈ, ગમણગમણે આલોવે. કદાચ રાત્રે સ્પંડિત જવું પડે તે સે ડગલાની અંદર જવાય, મુકામ બહાર જતા આવર્સીડી ને મુકામમાં પેસતા નિસિદ્ધિ ત્રણ વાર કહેવું.
૩૩ કાજે લેવાની વિધિ. એક જણે દંડાસણ જાચી તેનું પડિલેહણ કરીને ઈરિયાવહી કરવી. પછી કાજે લે. એ કાજામાં જીવ જંતુ જેઈને ત્યાં જ ઊભા રહી ઇરિયાવહી કરવી. પછી જતનાપૂર્વક કાજે યોગ્ય સ્થળે અણુજાણ જસ્સો એમ બેલીને પરઠ, પછી ત્રણ વાર સિરે કહેવું. કાજે લેનારને એક આયંબિલનું ફળ થાય છે માટે કાજે લેનારે બરોબર ઉપયોગપૂર્વક લેવો. કાજામાં અનાજ અથવા લીલી વનસ્પતિ વિગેરે સચિત્ત વસ્તુ નીકળે તે ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું અને ત્રસ જીવ, કીડી વિગેરે નીકળે તે જયણા પૂર્વક શીતળ છાયામાં મૂકવું. ચોમાસું હેય તો બપોરના દેવવંદન કર્યા પહેલા બીજી વાર કાજો લે.
૩૪ સુથારે કરવાને વિધિ. સંથારા પિરીસી ભણાવ્યા પછી સઝાય ધ્યાન કરવું. જ્યારે નિદ્રા આવે ત્યારે માત્રા વિગેરેની બાધા (શંકા) ટાળીને દિવસે પડિલેહેલી જગ્યાએ સંથારો કરે, જમીન પડિલેહીને સંથારીયું પાથરી તે ઉપર ઉતરપટ-(સુતરાઉ ચાદર) પાથરે. મુહપત્તિ કેડે ખોસે, ચરવળે પડખે મૂકી માગું કરવાનું ધોતીયું પહેરી ડાબે પડખે હાથનું ઓશીકું કરીને સૂવું. રાત્રે ચાલવું પડે તે દંડાસણથી જમીનને પૂજતા ચાલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org