________________
શ્રેયસ પ્રચારક સભા
અમને જણાવતા આનંદ થાય છે કે જનસમૂહના વ્યવહારિક અસ્પૃદયમાં તથા પારમાર્થિક ઉત્કર્ષમાં કઈ પ્રકારે ઉપાગી અને સહાયભૂત થવાના હેતુથી આ “શ્રેયસ પ્રચારક સભા”ની સ્થાપના તા. ૨૩-૧૨-૧૯૮૦ના દિવસે કરવામાં આવેલ છે. તેને કાયદેસરને રજીસ્ટ્રેશન માટે ચેરિટી કમિશ્નરની ઓફીસમાં અરજી કરવામાં આવેલ છે અને તે ટૂંક સમયમાં પાસ થઈ જવા સંભવ છે.
સભાના ઉદ્દેશોમાં મુખ્યતાએ જે મુદ્દાઓ સમાવેશ પામે છે તે આ પ્રમાણે છે. આમ જનતાનું નૈતિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જીવનધોરણ જે હાલ નીચે ઉતરી ગયું છે, તે ઊંચુ આવે તે અર્થે ઉપયોગી અને ઉત્તમ સાહિત્ય પ્રસિદ્ધ કરવું તથા તેનું વેચાણ સૌને લાભ મળી શકે એ હેતુએ શક્ય તેટલી ઓછી કિંમતે કરવું. ધર્મના ભેદભાવ વિના ઉપકારી અધ્યાત્મગ્રંથનું પ્રકાશન કરવું, સામાજિક અસ્પૃદય માટે જ્યાં બની શકે ત્યાં સહાયભૂત થવું. ઈત્યાદિ.
આ સભા તરફથી “આધ્યાત્મિક નિબંધ” નામનું આ પ્રથમ પુસ્તક પ્રગટ થાય છે, અને તે જિજ્ઞાસુઓના હસ્તકમળમાં આવે છે, એ જણાવતાં અમને હર્ષ થાય છે.
આ પુસ્તકની છપામણી વગેરેનું તમામ ખર્ચ “મુનિક ફાર્માસ્યુટિકસ લેક્ઝ” એ આપેલ છે.
સભા વતી એ. એમ. મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org