SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિસાન ઃ ૪૫. વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે. એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણ આદિથી તેમ જ તે તે પ્રકૃતિએ જન્મથી સહચારીપણે જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કાર જ સંભવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર બાળકને ધાવતાં કઈ શીખવતું નથી, છતાં તેને સ્વયં આવડે છે તે પૂર્વને સંસ્કારબળથી છે. “હું દેહ છું.” એ પૂર્વના દઢ કરેલા સંસ્કાર સ્વયં સહજ ફળરૂપ રહે છે. આ બધાં દષ્ટાંતે “ધારણ”નાં છે અને આ પરથી ધારણાનું માહાસ્ય કેટલું છે તે લક્ષગત થશે. સવને પૂર્વભવની સ્મૃતિ કેમ થતી નથી? જન્મોજન્મના અનુભવેનું જ્ઞાન ધારણમાં સમાય છે અને ટકીને સ્થિર રહે છે, તે તેનું સ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન દરેકને થવું જોઈએ એમ લાગે; પરંતુ તેમ થતું નથી એ નક્કર હકીકત છે. પૂર્વભવમાં ગમે. તેટલું ભણ્યા હોઈએ, ગમે તેટલું જ્ઞાન સંપાદન કર્યું હાય, તે છતાં આ ભવના જન્મકાળે તેની વિસ્મૃતિ હેય છે. આથી વિસ્મૃતિનું કેઈ સબળ કારણ હોવું જોઈએ, એ પ્રશ્નનું સમાધાન આતમજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનથી સમજીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy