SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૩૧ અને શાંતિદાયક ઉમળકા વિના અને રાગના ઉષ્માભર્યા ભાવથી અથવા કેવળ ફરજ પૂરી કરવાના બળવાન હેતુથી તેવાં કાર્યો થઈ શકે છે. પ્રેમનું સ્વરૂપ તે દિવ્ય, અલૌ. કિક, નિસ્પૃહ અને પ્રભુની પ્રસાદીરૂપ છે. તેની ઊંચામાં ઊંચી વ્યાખ્યા કરતાં અગાઉ જણાવ્યું હતું કે પ્રેમ એટલે હદયની સોંપણું. આ સેં પણ કરવાનું કાર્ય કેટલું કઠણ છે તે તેમ કરવાની ઈચ્છાવાળાને સહેલાઈથી સમજાશે. તેમ કરવા માટે પ્રથમ જણાવ્યા હતા તે ગુણે ઉપરાંત પ્રમાણિકતાની ખૂબ આવશ્યકતા છે. તે સર્વ ગુણની પ્રગટતા અને વર્ધમાનતા પ્રેમમૂર્તિ, કરુણામૂર્તિ અને શાંતમૂર્તિ પ્રભુમાં એટલે પ્રભુસ્વરૂપ શ્રીગુરુમાં પ્રેમ કરવાથી થાય છે. તે વિશુદ્ધ પ્રેમના બળથી દોષને હાર ખાવી પડે છે અને પ્રભુજીના પ્રેમીભક્તથી દૂર ને દૂર જવું પડે છે. શ્રી ગુરુ પ્રત્યેનો પ્રેમ જેમ જેમ વધે છે, તેમ તેમ હદયની સંપણના પવિત્ર પંથમાં આગળ વધી શકાય છે. હદયની સેં પણીને સાથ આપનાર, ટેકે દેનાર અને ઉજજવળતાના વિકાસ તરફ લઈ જવામાં સહાય કરનાર છે બુદ્ધિની સોંપણું. સજીવનમૂતિ ભગવાનરૂપ સત્પરુષમાં પ્રેમ આવવાની સાથે જ શ્રદ્ધાનું તેજ પણ પ્રકાશિત હેય છે, કેમ કે પ્રેમ અને શ્રદ્ધાની ઉપકારી જોડી ક્યારેય છૂટી પડતી નથી. જે પ્રભુસ્વરૂપ શ્રીગુરુને પ્રેમી છે, તેને શ્રીગુરુમાં અને તેમનાં સ્વમુખેથી કહેલાં શાસ્ત્ર સ્વરૂપ વચનામાં પૂર્ણ શ્રદ્ધા અવશ્ય હોય છે. તેથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy