SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૨૯ સ્મૃતિનું ખળવાનપણું: આમ તે બન્ને પરસ્પર ઉપકારી બને છે એટલે એકબીજાના પૂરકરૂપે કાર્ય કરે છે અને વિકાસના પંથે આગળ વધે છે. તેનુ' સુંદર પરિણામ એ આવે છે કે પ્રેમીભક્ત ચિત્તની એકાગ્રતાથી પ્રભુને ચાહતા થાય છે. તે નિઃસ્વાર્થભાવે હૃદયની સેાંપણી કરવાના માર્ગ ઉપર પ્રવેશ મેળવે છે અને પ્રેમની મીઠી વેઢનાનુ વેદન કરવા તેનું હૃદય તલસે છે, જેમ જેમ પ્રેમ અને સ્મૃતિનું અળ વધે છે, તેમ તેમ ચિત્તમાં ઊઠતા વિચારા વધારે ને વધારે પ્રભુમય બનતા જાય છે અને હયમાં ઊગતી લાગણીઓ પ્રભુના સ્વરૂપને ઘેરો અથવા તેની સાથે એકરૂપ થવા મથતી અનુભવાય છે. હવે આ પ્રભુના પ્રેમીભક્તની હૃદયદશા કેવી થાય છે? પતિવ્રતા એવી ગુણીયલ સ્ત્રીના ચિત્ત જેવી. જેમ ઘર સબંધી અને મીન' કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનુ‘ ચિત્ત પોતાના પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વતે છે, તેમ આ પ્રેમીભક્તના સંબધમાં અને છે; કાં તે તે પ્રેમમૂતિ પ્રભુના ગુણેાના ચિ'તનથી પ્રેમસમાધિમાં લીન થાય છે, કાં તા તે પ્રેમના દિવ્ય સ્વરૂપને ત્રિચાર કરતાં પાતે પ્રેવિસેાર મની જાય છે. અથવા પ્રવૃત્તિ કરતાં તેને પાતાના પ્રિય પ્રભુનું સ્મરણ રહ્યા કરે છે તેમ તેનું ધ્યાન અને તેની ઇચ્છા પશુ તે જ સ્થળે કેન્દ્રિત થાય છે, પ્રભુસ્મૃતિ ત્રિના તેનુ‘ ચિત્ત કાંય સ્થિરતા પામતુ' નથી. આ સ્વભાવદશાને હૃદયની સાંપણી કહી શકાય. આ સોંપણી સંબધમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy