SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૨૭ તેજ મારતી ઊર્વ રેખા જેનાર સુભાગ્યવંત પુરુષને ઉપર કહ્યું તેવું ફળ મળે છે; છતાં અપેક્ષાએ કંઈક જૂનપણું છે તે પણ સમજવા યોગ્ય. આ પ્રકારનું દિવ્ય ચિન્હ પણ વર્તમાને વર્તતી આત્મદશા સૂચવનાર છે, એટલે બેધસ્વરૂપની સ્થિતિ બતાવનાર છે. ધન્ય હે ! તે પવિત્ર ચિન્હને અને નમસ્કાર હે એ ચિન્હોન ધારકમહાત્માઓને! - ૯ અમૃતમય બાધવચને પ્રકાશતા હોય કે આધ્યાત્મિક ચિંતનમાં ગરકાવ થયા હોય કે શાંતસ્વરૂપ આત્મસમાધિમાં સ્થિર હોય તે વેળાએ પ્રેમમૂતિ પ્રભુને હદયના પ્રેમસભર ભાવથી એક નજરે જોવામાં આવે છે, ત્યારે તેમના મસ્તકની પાછળ ગોળાકારે ઓપતું અને આશ્ચર્યને પમાડતું તેજોમંડળ કેવું અનુપમપણે દીપતું દેખાય છે! જેનારની અપેક્ષાએ તેની દષ્ટિની અને ભાવની સ્થિરતા તે તેજોમંડળની પણ સ્થિરતા અને જે તેના વિક૫ની હાજરી થાય તે તેજે મંડળની તત્કાળ ગેરહાજરી થાય. આ તેજોમય મંડળનું માહાત્મ્ય અલૌકિક અને અચિંત્ય છે; આમદશાસૂચક તે ઉત્તમ પ્રતીક છે. તેનું તેજ જેટલું અધિક, તેટલી આત્મવિશદ્ધિ અધિક તેજ જેટલું ન્યૂન, તેટલી વિશુદ્ધિ પણ ન્યૂન. મસ્તકની પાછળ બહારના ભાગે તેજમંડળનો વિસ્તાર એટલે મેટ અને પ્રસરેલ હોય તેટલી આત્મશક્તિની પ્રગટતા દર્શાવે છે, તે ઉપરાંત સ્વભાવમગ્નતાનું માપ પણ તેથી સૂચવાય છે, તેનું ફળ નિરુપમ છે. અગમ-નિગમની વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy