SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ : આધ્યાત્મિક નિબંધ આપનાર પાદચિહ્યો. તેમાંય જ્યારે શ્રી ગુરુના પ્રેમમાં તરળ બનેલ શિષ્ય પિતાના હૃદયમાં શ્રી ગુરૂનાં દર્શન કરે છે, તેમની દિવ્ય સ્વરૂપી તેજોમય મુદ્રાનાં દર્શન કરે છે, ત્યારે તે આત્માનુભૂતિ કેવળ સમીપ છે એમ નિઃશંકપણે માની શકાય. આ સર્વ પ્રતીકેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તે સર્વની ઉપગીતા ઘણું મોટી છે અને તેના પ્રભાવની અસર દીર્થસ્થાયી છે કેમકે એ અનુભવે દીર્ઘકાળે પણ વિસ્મરણરુપ થતા નથી. હવે જ્યારે આત્માનુભૂતિની આકાંક્ષાવાળે સુશિષ્ય શ્રી સપુરુષના એટલે પિતાના શ્રી ગુરુના સુવાસિત ગુણોના શુભ ચિંતનમાં પ્રેમપૂર્વક પ્રવેશે છે, ત્યારે તેને પ્રેમ અંદરમાં એકદમ વધી જાય છે, પ્રેમભાવ વધુ ઊંડાણમાં જતાં સુખરૂપ, આનંદરૂપ એવી તથા ઉત્તમ ફળને આપનારી, એકાગ્રતાને સુગમતાએ પ્રાપ્ત કરાવનારી અને ધ્યાનદશાને સફળ બનાવનારી પ્રેમસમાધિ આવે છે, જે આત્મજ્ઞાન તરફ લઈ જવા સમર્થ છે. આત્મજ્ઞાન આત્મવિચાર વગર હાય નહીં એમ આપણે જોઈ ગયા છીએ. આત્મવિચાર એટલે આત્માના ગુણોને વિચાર, જે પુરુષના કે શ્રી ગુરુના ગુણેના વિચારથી કે ચિંતનથી ભિન્ન નથી, આત્માના ગુણ દર્શાવતાં જ્ઞાની પુરુષનાં વચને મંત્ર સ્વરૂપ હોય છે, તેવા કોઈ મંત્રસ્વરૂપ વચનનું મરણ–રટણ કરવા શ્રીગુરુ જ્યારે સુશિષ્યને આજ્ઞા કરે છે, ત્યારે શિષ્ય ઉવલાસ પરિણામી થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy