SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ : આધ્યાત્મિક નિબંધો પરમ આત્મજ્ઞ, પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીનાં ઉપરનાં ટેકેન્ઝીણું ઉપદેશવચને સ્વયં પ્રકાશિત છે, માર્ગ દશંકરૂપ છે અને અપૂર્વ પ્રેરણારૂપ છે. ત્યાં પ્રથમ જ, જેમ નિષ્કારણ કરુણાથી પ્રેરાઈ સર્વ સમર્થ સપુરુષોએ બાળજીને ત્રિવિધ તાપથી બળતા આ સંસારથી છૂટવા અને અખંડ અવ્યાબાધ સુખસ્વરૂપમાં સર્વકાળને માટે અવસ્થાને કરવાનો ઉપદેશ કર્યો છે, તેમ શ્રીમદ્જીને પણ તે જ ઉપકારી ઉપદેશ છે, તેના શ્રેષ્ઠ ઉપાયને ટ્રકે અને સરળ, સહજ અને સ્વચ્છ માનસિક અને શારીરિક કષ્ટ વિનાને સુગમ માર્ગ શ્રી જિનાગમની શાખ બતાવે છે, અને તેથી કરી પરમ ઉપકાર કર્યો છે. અનંત પ્રકારનાં દુઃખોથી મુક્ત થવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે દેહાદિથી ભિન્ન જ્યોતિ સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અટલ અનુભવસ્વરૂપ એવા આત્માની ઓળખ અને અનુભૂતિ. તેના પર્યાયવાચક શબ્દ છે, આત્મદર્શન, સમ્યદર્શન, સમ્યફજ્ઞાન, સમકિત, આત્માનુભ, સ્વાનુભવસ્વરૂપ પ્રતીતિ, સ્વરૂપસ્થિતિ ઈત્યાદિ. એ આત્મજ્ઞાનને મહિમા અપરંપાર છે, તેનું મૂલ્ય અમૂલ્ય છે. તેનું સામર્થ્ય અતુલ અને બેહદ છે, તેની શક્તિ અમર્યાદ છે, અને તે જ પરમશાંતિનું ધામ છે. અનંત ઐશ્વર્યના ધણી એવા દેહમંદિરમાં વિરાજમાન શ્રી આત્મા પ્રભુની ઓળખ અને અનુભૂતિ કેવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy