SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણા નું બંધ : ૯૫ અશુભ ઋણાનુબંધને સંચય થતો જાય છે અને તે બંધ નિકાચિત થવાથી બળવાન થાય છે, તેથી તેને ઉદય અત્યંત તીવ્રપણે શુભ કે અશુભ ફળરૂપે કાર્યકારી થાય છે. આ સંબંધમાં આટલું સ્મૃતિમાં રાખવું આવશ્યક (૧) પૂર્વ ભવ કે ભવમાં બંધાયેલ ઋણ, પછીના ગમે તે ભવમાં તેની ચૂકવણી અથે સંસારના સંબંધસગપણ-સમાગમમાં આવવા છતાં, તે પૂર્ણપણે ઉદયમાં આવી નિવૃત્ત થતું નથી. જે ઋણાનુબંધરૂપ કર્મને આબાધાકાળ પૂરો થયે ન હોય, તે કર્મ ઉદયમાં ન આવવા યોગ્ય હૈઈ અને તેને ઉદય ભાવિમાં થવાનો હેવાથી, તે કર્મ અથવા ઋણનું બંધન સત્તામાં રહી જાય છે. વળી વર્તમાન ભવમાં ઋણની ચૂકવણી કરતી વખતે પણ શુભાશુભ ભાવની પરિણતિ રહેતી હોવાથી જે નવા બંધ પડે છે, તે પૂર્વના બંધ સાથે જોડાઈ જાય છે. આનો અર્થ એ થયો કે અપવાદ બાદ કરતાં બંધાયેલ સમસ્ત ઋણ એક ભવમાં પૂર્ણ પણે ઉદયમાં આવી નિવૃત્ત થવું દુષ્કર છે, વળી ત્યાં ન બંધ પડે ન જોઈએ. કેટલાક ભવાની ધમસાધના પછી છેલલા ભવે તેમ બને છે, એટલે ઋણ મુક્ત થવાય છે. (૨) ઋણાનુબંધવાળા ભવાની ગણતરી કરવામાં દેવ, મનુષ્ય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ગતિના ભવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy