SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નિરસન કરવાનું હોય છે ત્યારે તેને વિરાટ રૂપ આપવું પડે છે. માત્ર એકની સાથે પ્રેમ કરો એ વિકાર ગણાશે. સૌની સાથે પ્રેમ કરો એ પવિત્ર મનોભાવ ગણાશે. એકની સાથે પ્રેમ કરવો એ વિકાર છે જ્યારે સૌની સાથે પ્રેમ કરવો એ પવિત્રતા છે. નાનકડી વસ્તુને મોટું રૂપ આપી દેવાથી તે પવિત્ર બની જાય છે. માત્ર પોતાના સુખની કામના પ્રશસ્ત નથી બનતી. સૌના સુખની કામના કરો, તે વિરાટ બની જશે. તેમાં પોતાનું સુખ પણ સધાઈ જશે. સુખ અને સ્વાર્થને વિરાટ બનાવીએ મહત્ત્વની સચ્ચાઈ છે – સુખ અને સ્વાર્થને વિરાટ બનાવવાં. સુખવાદ અને સ્વાર્થવાદની મર્યાદા સમજીએ. માત્ર પોતાના સુખ અને સ્વાર્થને મહત્ત્વ ન આપીએ. ભ્રમવશ માણસ માત્ર પોતાના દુઃખને જ દૂર કરવાની વાત વિચારે છે. તે સુખ પામવા ઇચ્છે છે અને દુઃખને દૂર ધકેલવા ઝંખે છે. માણસ જુએ છે કે મેં દુઃખને દૂર ભગાડી દીધું, પરંતુ સચ્ચાઈ એ છે કે સુખ-દુઃખ પોતપોતાનું હોય છે. તેથી વ્યક્તિએ એવું આચરણ ન કરવું જોઈએ કે જેથી દુઃખ વધે અને સુખ ઘટે. આ આત્મફ્તત્વનો સિદ્ધાંત છે. આપણે વિચારીએ કે આજ સુધી આ જગતમાં કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિને સુખી બનાવી છે ખરી ? દુઃખી બનાવી છે ખરી ? આપણે સત્ય સુધી પહોંચી શકતા નથી. કોઈ વ્યક્તિ કોઈને સુખી કે દુઃખી બનાવી શકતી નથી એ હકીકત છે. એમ કહેવું જોઈએ કે સુખની સામગ્રી એકઠી કરી શકાય છે, સુવિધાઓ એકઠી કરી શકાય છે; પરંતુ સુખ આપી શકાતું નથી. દુઃખનાં સાધનો આપી શકાય છે પરંતુ દુઃખ આપી શકાતું નથી. જો દુઃખ આપી શકાતું હોત તો મહાવીર અને આચાર્ય ભિક્ષુ ખૂબ દુઃખી થઈ ગયા હોત. મહાવીરને કેટકેટલાં દુઃખો આપવામાં આવ્યાં, આચાર્ય ભિક્ષુ સમક્ષ કેટકેટલી સમસ્યાઓ આવી; છતાં શું મહાવીર ક્યારેય દુઃખી થયા ખરા ? આચાર્ય ભિક્ષુ ક્યારેય વિચલિત થયા ખરા ? દુઃખી થવું એ પોતાના હાથમાં જ છે મહાવીરને કોઈ દુઃખી ન કરી શક્યું તેથી તેમણે કહ્યું કે પત્તેય દુઃખ- દુઃખ પોતપોતાનું હોય છે. આપણે ઘણી વખતે બીજાઓ દ્વારા દુઃખી થઈ જઈએ છીએ. આપણે એ સચ્ચાઈને ભૂલી જઈએ છીએ કે બીજું કોઈ દુઃખ આપી શકતું નથી. દુઃખી થવાનું સંપૂર્ણપણે આપણા - - અસ્તિત્વ અને અહિંસા ન ૭૫ L I - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy