SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ એમ વિચારતી રહે છે કે મારી પાસે આટલું ધન છે. તે એવો સંતોષ લઈને મૃત્યુ પામે છે. એમ માનવું જોઈએ કે આ મનોવૃત્તિને કારણે હિંસાનું એક ચક્ર ચાલી રહ્યું છે. આપણું ત્રસજગત કેવું સુંદર છે ! પશુ, પક્ષી નિર્વિક્ન વિચરતાં હોત તો આ ત્રસજગત, આ સંસાર કેવો સુંદર હોત ! કૃત્રિમ અભયારણ્યો બનાવવાની કોઈ જરૂર જ ન હોત. પરંતુ માણસે પોતાનાં લોભ, સૌંદર્ય અને લાલસાની ભાવનાને કારણે ભયંકર ક્રૂરતાને જન્મ આપ્યો અને સંસારની સઘળી સુંદરતા ખતમ કરી નાખી. આજ વ્યક્તિ એમ વિચારે છે કે પર્યાવરણનું પ્રદૂષણ ન હોવું જોઈએ. આ તેની કૃત્રિમ ચિંતા છે. જ્યાં સુધી મહાવીરવાણીનું મૂલ્યાંકન નહિ કરવામાં આવે, અહિંસાના સિદ્ધાંત ઉપર ધ્યાન કેન્દ્રિત નહિ થાય ત્યાં સુધી આ સંસાર ન તો સુંદર રહેશે કે ન તો આ ત્રસૃષ્ટિ વિકાસની દિશામાં આગળ વધી શકશે કે ન તો પર્યાવરણ સુરક્ષિત રહેશે. જો આ વાત સમજાઈ જાય, માનવીનો દૃષ્ટિકોણ બદલાય અને લોભની વૃત્તિ નિયંત્રિત બને તો સમસ્યાઓથી સંત્રસ્ત સંસારને સમાધાનની દિશા મળી શકે. – અસ્તિત્વ અને અહિંસાન, ૫૬ ——– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy