________________
વનસ્પતિજગત સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે વિકાસનાં કૃત્રિમ સાધનોએ પ્રકૃતિ સાથે અન્યાયપૂર્ણ અને ક્રૂર વ્યવહાર શરૂ કર્યો છે. તેનો વિરામ ક્યાં હશે તે કોઈ કહી શકે તેમ નથી. મહાવીરનું અહિંસા-દર્શન
આપણે આ સત્યને આચારાંગ સૂત્રના સંદર્ભમાં સમજીએ. આચારાંગ સૂત્રમાં જે સચ્ચાઈઓનું ઉદ્ઘાટન થયું છે તેમને વર્તમાનમાં વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. એ જ વાત આજથી હજાર વર્ષ પૂર્વે કહેવામાં આવી હોત તો સમજવામાં કેટલીક મુશ્કેલી પડી હોત. આજે સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત છે, સમસ્યાઓથી ચિંતિત છે. જો આધુનિક સંદર્ભમાં મહાવીરવાણીને વ્યક્ત કરવામાં આવે, આચારાંગ સૂત્રનું વિશ્લેષણ કરવામાં આવે તો એમ લાગશે કે વર્તમાન સમસ્યાઓનાં અભુત સમાધાન પ્રથમ જ વખત આપણી સમક્ષ આવ્યાં છે. આજે મહાવીરવાણી અને તેમનું અહિંસા-દર્શન જગતને લોભામણું લાગી રહ્યું છે. લોકો ઇચ્છે છે કે ઉભરાતા દૂધ ઉપર કોઈ ઠંડુ પાણી છાંટનારું મળે તો સારું. આજે આંકાક્ષાઓની હોળી પ્રબળ બની છે. તેને શાંત કરવા માટે અહિંસાની વાત, જે વનસ્પતિજગત સાથે જોડાયેલી છે, તે ઠંડું પાણી છાંટવાની વાત છે. વિષયઃ આવત
આચારાંગ સૂત્રનું એક મહત્ત્વનું સૂક્ત છે – જે આવડ઼ે સે ગુણે, જે ગુણે સે આવ – જે વિષય છે, તે આવર્ત છે, જે આવર્ત , તે વિષય છે. આ અર્થશાસ્ત્રીય આકાંક્ષાઓ અને વિષયોએ એટલાં બધાં આવર્ત પેદા કર્યા છે, એટલાં બધાં વમળ પેદા કર્યા છે કે વ્યક્તિ માટે પોતાના જીવનની નૌકાને લઈને સામે પાર પહોંચવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ વમળમાંથી, આવર્તમાંથી બચનાર જ સમસ્યાઓના ચક્રવ્યુહને તોડવામાં સફળ થઈ શકશે. આ નાનકડું સત્ય સમજાઈ જાય તો માનવજાતિનું ઘણું મોટું કલ્યાણ થઈ શકે તેમ છે.
અસ્તિત્વ અને અહિંસા ૪૯
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org