SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ યોગક્ષેમ વર્ષની પ્રવચનમાળા આ વિશેષતાઓથી અનુપ્રાણિત છે. જૈન આગમોના આધારે સમાયોજિત આ પ્રવચનમાળા વૈજ્ઞાનિક વ્યાખ્યાને કારણે સહજગમ્ય અને આકર્ષક બની ગઈ છે. તેમાં શાશ્વત તેમજ સામયિક સત્યોનો અદ્ભુત સમાવેશ છે. તેની ઉપયોગિતા યોગક્ષેમ વર્ષ પછી પણ ટકી રહેશે. એ વાત ધ્યાનમાં રાખીને ‘પ્રજ્ઞાપર્વ સમારોહ સમિતિ’એ મહાપ્રજ્ઞનાં પ્રવચનોને જનાર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ‘અસ્તિત્વ અને અહિંસા' તેનું ત્રીજું પુષ્પ છે – જે યોગ્ય સમયે આપ સૌના કરકમળમાં પહોંચી રહ્યું છે. જે લોકોએ પ્રવચનો સાંભળ્યાં છે અને જેમણે નથી સાંભળ્યાં તે તમામને યોગક્ષેમ યાત્રાનું આ પાથેય અહિંસાના વિકાસની પ્રેરણા બક્ષતું રહેશે અને તેમની ચેતનાનાં બંધ દ્વાર ખોલીને તેને પ્રકાશથી સભર કરી દેશે તેવો વિશ્વાસ છે. ॥ ગણાધિપતિ તુલસી ૧૫, સપ્ટેમ્બર, ૧૯૮૯ મહાવીરનગર, પાલી (રાજસ્થાન) Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy