________________
માનવીનું જીવન અસુરક્ષિત બની જશે. વૃક્ષ કાપવું એટલે હિંસા અને પોતાના સહયોગીનો વિનાશ. વૃક્ષ કાપવામાં હિંસા તો થાય છે જ પરંતુ તેની સાથોસાથ જીવન સામે પણ જોખમ પેદા થઈ જાય છે. વનસ્પતિ અને મનુષ્ય બન્નેનું અસ્તિત્વ એટલે જોડાયેલું છે કે એને અલગ કરી જ નથી શકાતું. આજે માનવી આ સચ્ચાઈ સામે આંખમીંચામણાં કરી રહ્યો છે. તે લોભને કારણે વિચાર્યા-જાણ્યા વગર વનસ્પતિજગત સાથે ઘોર અન્યાય અને ક્રૂરતાનો વ્યવહાર કરતો રહ્યો છે તથા એ જ એના માટે સમસ્યાનું કારણ બની રહ્યું છે. હિંસાના બે પ્રકાર
ભગવાન મહાવીરે હિંસાના બે પ્રકાર બતાવ્યા છે- અર્થહિંસા અને અનર્થહિંસા. આ ખૂબ વૈજ્ઞાનિક વર્ગીકરણ છે. આ બન્ને શબ્દો જીવનના વ્યવહાર સાથે જોડાયેલા છે. વ્યક્તિ આવશ્યક હિંસાને છોડી નથી શકતી, જીવનની વાસ્તવિક જરૂરિયાતોને ઘટાડી નથી શકતી, પરંતુ અનાવશ્યક હિંસાથી બચી શકે છે, કૃત્રિમ જરૂરિયાતોનો સંયમ કરી શકે છે. વાસ્તવિક આવશ્યકતા તેમજ કૃત્રિમ આવશ્યકતાને સમજવી જરૂરી છે. પ્રાકૃતિક ચિકિત્સામાં બે પ્રકારની ભૂખ માનવામાં આવે છેપ્રાકૃતિક ભૂખ અને કૃત્રિમ ભૂખ. પ્રાકૃતિક ભૂખ સ્વાભાવિક રીતે લાગતી ભૂખ છે. ભસ્મક રોગને કૃત્રિમ ભૂખ માનવામાં આવે છે. જે વ્યક્તિ ભસ્મક રોગથી ગ્રસ્ત હોય છે, તેની ભૂખ એક દિવસમાં સો-સો રોટલીઓ ખાવા છતાં તૃપ્ત થતી નથી. આ કૃત્રિમ ભૂખ – ભસ્મક વ્યાધિનો ક્યારેય અંત આવતો નથી. વ્યકિત અને સમાજ બન્ને માટે તે સમસ્યા બની રહે છે. અર્થશાસ્ત્રનું સૂત્ર
આજના સમાજશાસ્ત્રીઓ તથા અર્થશાસ્ત્રીઓએ કૃત્રિમ ભૂખ વધારીને સમગ્ર માનવસમાજને સંકટમાં મૂકી દીધો છે. અર્થશાસ્ત્રનું સૂત્ર છે કે ઇચ્છાઓ વધારતા જાઓ. આજે આ ખોટા સૂત્રના પરિણામે હિંસા વધી રહી છે. પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જરૂરિયાતની પૂર્તિ કરવી જરૂરી છે, એ વાતને ઉચિત ગણી શકાય; પરંતુ કૃત્રિમ આવશ્યકતાઓ ઊભી કરવી અને તેમની પૂર્તિ કરતા રહેવું એ કોઈ રીતે યુક્તિસંગત નથી. આવશ્યક્તાની ઉત્પત્તિ અને તેની પૂર્તિનું એક વિષચક્ર
અસ્તિત્વ અને અહિંસા કે ૪૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org