________________
મુનિએ કહ્યું, ‘એ ખોટી વાત છે. તમે તેની પાછળ એક ‘‘દા’” જોડી દો. હવેથી દાસોડė, દાસો ંનો જાપ કરજો.’
ભાઈએ મુનિની વાત સ્વીકારી લીધી. તે હવે ‘દાસોઽહં’નો જાપ કરવા લાગ્યો.
થોડાક મહિના પસાર થયા. પેલા અદ્વૈતવાદી સંત ફરીથી તે ગામમાં પધાર્યા. તે ભાઈ મુનિનાં દર્શન કરવા ગયા. મુનિએ પૂછ્યું કે, ‘જાપ કેવો ચાલે છે ?’
ભાઈએ કહ્યું, ‘હા, મહારાજ ! જાપ તો સારો ચાલી રહ્યો છે, પરંતુ એક સંન્યાસીએ એમાં થોડો સુધારો કર્યો છે. પહેલાં હું સો ં સોડė-નો જાપ કરતો હતો, અત્યારે હું દાસોઽહં દાસો ં-નો જાપ કરું છું.' ‘અરે, તમે તો અનર્થ કરી નાખ્યો ! આપણે વળી કોના દાસ છીએ ? આપણે તો સ્વયં પ્રભુ છીએ. ખેર, હવે તમે આ ભૂલને સુધારી લો. એ સંતની વાત પણ માની લઈએ છીએ. હવે તમે તેની આગળ એક ‘સ’ વધારે જોડી દો. ‘‘સદા સો ં’’ ‘સદા સોડė’’ એવો જાપ કરજો.’ ભાઈએ મુનિનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. થોડાક દિવસો વીત્યા. ભક્તિ સંપ્રદાયના પેલા સાધુ ફરીથી એ ગામમાં પધાર્યા. તે ભાઈને મુનિએ જાપ વિશે પ્રશ્ન કર્યો. ભાઈ પાસેથી ‘સદા સો ં’ની જાપ કરવાની વાત સાંભળ્યા પછી મુનિ બોલ્યા, ‘તમે ફરીથી ખોટા જાપ કરવા માંડ્યા છો. તેને સાચો કરવા માટે એક ‘દા' વધુ જોડી દો. ‘‘દાસદાસોઽહં’’ નો જાપ કરો.
તે ભાઈ આ સાંભળીને દંગ થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ તે વળી હું કેવા ચક્કરમાં ફસાઈ ગયો છું ! આ તો ભારે ઝંઝટ છે ! અને તેણે જાપ કરવાનું જ છોડી દીધું.
દર્શનના ક્ષેત્રમાં દ્વૈતવાદ અને અદ્વૈતવાદના નામે આવી ખેંચતાણ શરૂ થઈ. જીવનનો રસ સુકાઈ ગયો. માત્ર શબ્દોની ઝંઝટ જ બાકી રહી. અદ્વૈત સાર્થકતા
આપણે અદ્વૈતવાદને સમજીએ. દ્વૈતવાદની સાથે અદ્વૈતવાદ સમજવો ખૂબ જરૂરી છે. પરંતુ અદ્વૈતને સમજવા માટે સ્થૂળથી સૂક્ષ્મની દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો પડશે. સ્થૂળ જગતમાં જીવનાર વ્યક્તિ કયારેય અદ્વૈતની વાત ના સમજી શકે.
અસ્તિત્વ અને અહિંસા – ૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org