________________
થઈ જશે. તે એમ વિચારે છે કે વાતાવરણ બરાબર નથી તેથી વિચારો જ નથી આવતા, ડિસ્ટર્બન્સ ખૂબ છે. તેનું ધ્યાન લેખનમાંથી છટકી જાય છે. તે ચાહવા છતાં લખી શક્તો નથી. જો આ રીતે ધ્યાનભંગ થતું રહે તો આ જગતમાં એકાંત મળશે ક્યાં ? એ વાત સમજી શકાય છે કે જે વ્યક્તિ નવી નવી હોય તેના માટે નિમિત્તો ઉપર ધ્યાન આપવું જરૂરી છે, પરંતુ હંમેશું એકાંત જ એકાંતનો પ્રશ્ન આવતો રહે તો સાધનાની નિષ્પત્તિ જ શી રહી ? જે વ્યક્તિ એમ જ વિચાર્યા કરે છે કે મારે એકાંતમાં બેસવું છે, એકાંતમાં ધ્યાન કરવું છે, તેણે કદાચ મહાવીરની સાધનાનો મર્મ સમજ્યો જ નથી. સાધના દર્શન
મહાવીરનું સાધનાદર્શન આ પ્રમાણે છે – માણસે પોતાની અંદર જવાનો વધુમાં વધુ અભ્યાસ કરવો જોઈએ, પોતાના આત્માને જોવાનો વધુમાં વધુ અભ્યાસ કરવો જોઈએ. જે વ્યક્તિ આત્માને જોવાનો પ્રયાસ કરે છે, તેની સમક્ષ ગામ કે જંગલનો પ્રશ્ન ગૌણ બની જાય છે. જે વ્યક્તિની સમક્ષ આત્માને જોવાનો પ્રશ્ન નથી હોતો તેને માટે ગામ કે જંગલનો પ્રશ્ન માત્ર એક જન્મ પૂરતો જ નહિ, અનેક જન્મો માટે બની રહે છે.
આપણે આત્માને જોવાની દિશામાં પ્રસ્થાન કરીએ. માત્ર આત્માને જોઈએ, એકાંત આત્માને જોઈએ. જેણે એત્ત્વ અનુપ્રેક્ષાને બરાબર સમજી હશે, એકત્વ અનુપ્રેક્ષાને જીવવાનો અભ્યાસ કર્યો હશે, પોતાના એકલાપણાની અનુભૂતિ કરી હશે એણે સાધનાનાં રહસ્યો જાણ્યાં છે. ગંતવ્ય છે એકત્વની અનુભૂતિ
ભેદવિજ્ઞાન, એકત્વઅનુપ્રેક્ષા, અન્યત્વ અનુપ્રેક્ષા સાધનાનું સૌથી મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. શ્વાસપેક્ષા, શરીઝેક્ષા વગેરે સાધનો છે, પરંતુ ગંતવ્ય તો છે એકત્વની અનુભૂતિ. “હું એકલો છું એવી અનુભૂતિ સુધી પહોંચ્યા વગર લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી. ભલે આપણે હજાર વખત શ્વાસપ્રેક્ષા કરી લઈએ, શરીએક્ષા કે ચેતન્યકેન્દ્રપ્રેક્ષા કરી લઈએ. પરંતુ જ્યાં સુધી એકત્વની અનુભૂતિ નહિ થાય, ભેદવિજ્ઞાનની સિદ્ધિ નહિ મળે, ત્યાં સુધી સમાધાન નહિ થાય. એકત્વની અનુભૂતિ જ સમાધાન આપી શકે છે. જ્યારે વ્યક્તિ એકલાપણાની અનુભૂતિમાં પહોંચી જાય છે ત્યારે સમગ્ર સ્થિતિ બદલાઈ જાય છે.
- અસ્તિત્વ અને અહિંસા ક ૨૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org