________________
જ્યારે નિષ્કમાણ પોતાનો અર્થ ખોઈ બેસે છે
પ્રશ્ન છે શ્રદ્ધાનો
જીવન એક પ્રવાહ છે. એની ધારા હંમેશાં એકસમાન નથી વહેતી. જીવન આદિથી અંત સુધી એકરૂપ બની રહે એની ધારા અવિચલ વહેતી રહે એમ થવું ખૂબ મુશ્કેલ છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, સઘનતા- વિરલતા પણ આવતી રહે છે. વ્યક્તિ કોઈ કાર્ય શરૂ કરે છે અને વચ્ચે અવરોધ આવતાં એ કાર્ય અટકી પડે છે. મનનો વેગ પ્રબળ બને છે અને વ્યક્તિ કોઈ કાર્ય શરૂ કરી દે છે. મનનો વેગ શિથિલ પડે છે અને કાર્ય અટકી પડે છે. જે શ્રદ્ધાપૂર્વક કાર્યનો આરંભ થાય છે શું એ જ શ્રદ્ધાપૂર્વક નિર્વાહ થાય છે ખરો? એક વ્યક્તિ મુનિ બને છે, શ્રાવક બને છે. એક વ્યક્તિ ત્યાગ-પ્રત્યાખ્યાન લે છે, ૫ અને ધ્યાનનો પ્રયોગ શરૂ કરે છે. માણસ જે સંલ્પ અને શ્રદ્ધાપૂર્વક કાર્યનો આરંભ કરે છે, એ જ સંકલ્પ અને શ્રદ્ધાપૂર્વક કાર્યને સંપાદિત કરે તો તે સફળ થઈ જાય. જો તે શ્રદ્ધા અને સંકલ્પ એકરૂપ ન રહે તો સફળતા સંદિગ્ધ બની જાય છે. શ્રદ્ધાનું સાતત્ય અત્યંત મુશ્કેલ છે. આપણે જીવનના પ્રત્યેક કાર્યની મીમાંસા કરીએ તો ખબર પડશે કે જે શ્રદ્ધા સાથે કાર્યનો આરંભ થાય છે, એમાં ક્ષીણતા આવવા લાગે છે, શિથિલતા આવી જાય છે. જરૂરી છે શ્રદ્ધાનું સાતત્ય
સફળતા માટે શ્રદ્ધાનું સાતત્ય જરૂરી છે. મુશ્કેલી એ છે કે જે ભાવનાથી કામ શરૂ કરીએ છીએ એ ભાવનામાં પાંચ દિવસ પછી ઊણપ આવી જાય છે. દસ દિવસ કે મહિના પછી તો એ ભાવના અત્યંત કમજોર બની જાય છે. કોઈપણ કાર્યની સફળતામાં આ સૌથી મોટો અવરોધ છે. સફળતાનું સૂત્ર છે – જે શ્રદ્ધાસહિત કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય, એમાં શિથિલતા ન આવે, શ્રદ્ધાનો વેગ નિરંતર એકસમાન બની રહે. મહાવીરે મુનિને સંબોધ આપતાં કહ્યું કે તમે અભિનિષ્ક્રમણ
અસ્તિત્વ અને અહિંસા એ ૨૪૨ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org