________________
ભૂમિકા અને પ્રપીડનની ભૂમિકા પાર કરી લે છે. ત્રીજી ભૂમિકા નિષ્પીડનની ભૂમિકા છે. નિશીથ-ચૂર્ણિમાં આ ભૂમિકાના સંદર્ભમાં સ્પષ્ટ સંક્ત મળે છે. એમ કહેવામાં આવ્યું કે જો મુનિને એમ લાગે કે આયુષ્ય ધર્ઘ છે તો તેણે વિશિષ્ટ સાધનાનો કોઈ વિકલ્પ સ્વીકારવો જોઈએ. જિનકલ્પની સાધના કરે, એકલવિહારી બને, યથાલંદકની સાધના, પ્રતિમાની ધારણા અથવા પરિહારવિશુદ્ધિ ચાત્રિનો સ્વીકાર કરવો જોઈએ. આમાંથી કોઈ એક વિશિષ્ટ સાધનાને સ્વીકારીને તેના અનુપાલનમાં તેણે સમર્પિત થઈ જવું જોઈએ. જો મુનિને એમ લાગે કે આયુષ્ય વધુ નથી અને શરીર નબળું પડી રહ્યું છે તો તેણે સંલેખનાપૂર્વક મૃત્યુની પસંદગીની તૈયારી કરવી જોઈએ. સંલેખનાનો સમય બાર વર્ષનો હોય છે. લાપૂર્ણ જીવનપદ્ધતિ
મુનિ જીવનની આ ત્રણ ભૂમિકાઓને આ સ્વરૂપે પ્રસ્તુત કરી શકાય –
આપીડન-શ્રુતનું અધ્યયન અધિક, તપ અલ્પ. પ્રપીડન-કષ્ટ સહન કરવું, પ્રચાર વગેરે અધિક, તપ સ્વલ્પ.
નિષ્પીડન-તપસ્યપ્રધાન, સાધનાપ્રધાન. અધ્યયન, અધ્યાપન અને શ્રુત ગૌણ.
આ કલાપૂર્ણ મુનિજીવન જીવવાની પદ્ધતિ છે. સાધુસંસ્થામાં લાંબા સમય સુધી આવી પરંપરા ચાલતી રહી. કાળાંતરે એ વ્યવસ્થા વિચ્છિન્ન થઈ ગઈ. એક સુંદર ક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો – પ્રથમ જ્ઞાનની સાધના કરવી, પછી સંઘની સેવા કરવી, સંઘની પરંપરાનો વિચ્છેદ ન થવા દેવો, તેનો આગળ વિકાસ કરવો. પ્રથમ પોતાનું કરો, પછી સંઘનું કરો અને ત્યારબાદ ભગવાનનું કરો, પરમાર્થમાં જોડાઈ જાઓ, સાધનામાં ઓતપ્રોત બની જાઓ. જેના માટે મુનિવ્રત સ્વીકારવામાં આવ્યું, તેના પ્રત્યે પૂર્ણ સમર્પિત બની જાઓ. એનું તાત્પર્ય છે -એકાંતવાસ, મૌન, માત્ર તપસ્યા, સંઘની ચિંતાથી પણ એક રીતે મુક્ત થઈ જવું. સુંદર વ્યવસ્થા
આ એક અત્યંત સુંદર વ્યવસ્થા છે. એમાં કોઈપણ વ્યક્તિએ એમ નથી વિચારવું પડતું કે મેં શું કર્યું ? આ જ વ્યવસ્થાને કારણે જ્ઞાનની પરંપરા અવિચ્છિન્ન રહી છે. આજકાલ પુસ્તકો છાપવામાં આવે છે. તે એક માધ્યમ બની ગયું છે જ્ઞાનને અવિચ્છિન્ન રાખવાનું. પરંતુ
- અસ્તિત્વ અને અહિંસાને ૧૭૦ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org