________________
સાધનાની ભૂમિકા
માનવીનું જીવન અમૂલ્ય છે, દુર્લભ છે અને જીવન જીવવું તે એક કલા છે. પ્રશ્ન છે કે જે અમૂલ્ય છે તેનો ઉપયોગ શી રીતે કરવો? જે દુર્લભ છે તેનું મૂલ્ય શી રીતે ચૂકવવું ? જે કલા છે તેને શી રીતે જીવવી ? આ પ્રશ્નો વિશે ઘણા વખત પહેલાં વિચારવામાં આવ્યું. જીવન જીવવા માટે અનેક અવસ્થાઓ આપવામાં આવી. વૈદિક ધર્મમાં વ્યક્તિને શતાયુ સમજીને જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું. પચીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પચીસ વર્ષ ગૃહસ્થ આશ્રમ, પચીસ વર્ષ વાનપ્રસ્થ આશ્રમ અને પચીસ વર્ષ સંન્યાસ આશ્રમ. મુનિ જીવન ઃ ત્રણ ભૂમિકાઓ
જેન ધર્મમાં પણ વ્યવસ્થા આપવામાં આવી, જો કે શ્રાવકસમાજમાં એવો ક્રમ ચાલતો નથી. મુનિ માટે પણ અવસ્થાઓનો નિર્દેશ કરવામાં આવ્યો.
મુનિ જીવનને ત્રણ ભૂમિકાઓમાં વહેંચવામાં આવ્યું – આપીડન પ્રપીડન નિષ્પીડન.
અડતાલીસ વર્ષનું મુનિ જીવન સમજીને આ ભૂમિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રથમ ભૂમિકાની અવધિ ચોવીસ વર્ષ છે, બીજી ભૂમિકાની અવધિ બાર વર્ષ છે અને ત્રીજી ભૂમિકાની અવધિ પણ બાર વર્ષ છે.
પ્રશ્ન છે કે આ ભૂમિકાઓ શા માટે ? એનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું ? કહેવામાં આવ્યું કે શરીરને સાધવું છે, કર્મશરીરનું પીડન કરવું છે. સ્થૂળ શરીરનું પીડન અને કર્મશરીરનું પીડન. તેથી આપીડન શબ્દની પસંદગી કરવામાં આવી. આપીડન છે અલ્પપીડન. જો શરૂથી જ કઠિન સાધના બતાવવામાં આવે તો તે શક્ય બની શકતી નથી. માનવી સહન કરતાં કરતાં સાધનાની ભૂમિકા ઉપર આગળ વધે
– અસ્તિત્વ અને અહિંસા ક ૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org