________________
મનથી આગળ વધી શકયા નથી, પરંતુ જેઓ આત્મવાદી છે તેમણે મનથી આગળ જવું જોઈએ. પદાર્થ-નિરપેક્ષ સુખ
આત્મા સુધી પહોંચવા માટે દરરોજ થોડીક ક્ષણો નિર્વિચાર અવસ્થામાં પસાર થાય તે આવશ્યક છે. એક સુખ એવું હોય છે કે જે પદાર્થ-નિરપેક્ષ હોય છે, તે ભીતરમાંથી ટપકે છે. નિર્વિચારતાનું જીવન જીવનાર વ્યક્તિ આ સુખ સહજ રીતે પ્રાપ્ત કરી લે છે. જ્યાં સુધી આપણે નિર્વિચાર ક્ષણને નહિ જીવીએ ત્યાં સુધી પદાર્થ નિરપેક્ષ સુખનો અર્થ સમજાશે નહિ, આત્મસમાધિની વાત સમજાશે નહિ. નિર્વિચારતાની અનુભૂતિ એવી અનુભૂતિ છે કે જે જગતની તમામ અનુભૂતિઓથી પર છે. કોઈ પદાર્થજન્ય અનુભૂતિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. જે દિવસે આપણે એ ભૂમિકા ઉપર પહોંચીશું તે દિવસ આપણા માટે સૌથી મોટા સૌભાગ્યનો દિવસ હશે.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા
૧૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org