SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૭૧ કાંઠા ઉપર આવી સ્નાન કરતા એવા લોકોથી પ્રાસુક થયેલા જલનું પાન કરવું અને પ્રાસુક થયેલી મૃત્તિકાનું ભક્ષણ કરવું.” એવો વિચાર કરી તેણે તે અભિગ્રહ ધારણ કર્યો. એક વખતે તે વાવને વિષે સ્નાન કરવાને આવતા એવા લેકાથી મારું આગમન તેના સાંભળવામાં આવ્યું, તેથી મને તે પોતાના પૂર્વભવને ધર્માચાય માની એક સહસ્ત્ર પત્રવાળું કમળ મુખમાં લઈ મને વંદન કરવાને નીકળ્યો. તે વખતે કેટલાએક દયાળુ લોકો મને વંદના કરવા આવતા હતા, તેમણે દયાબુદ્ધિથી તે દેડકાને વારંવાર વાવના જલમાં નાંખવા માંડ્યો. છતાં પણ મને વંદના કરવામાં એકાગ્રચિત્તવાળે તે દેડકે વાવમાંથી બહાર નીકળી જેવામાં આવતો હતો, તેવામાં ભક્તિથી જેનું મન ઉલ્લાસ પામેલું છે એવો શ્રેણિક રાજા ઘણા પરિવાર લઈને મને વંદન કરવા આવતો હતો, તે તે જ માગે નીકળ્યો. કર્મ યોગે તે દેડકો શ્રેણિક રાજાના ઘોડાની ખરી નીચે ચગદાઈ ગયે. શુભધ્યાનથી ત્યાં જ મૃત્યુ પામી તે સૌધર્મ દેવકને વિષે દદુરાંક નામે મહા સમૃદ્ધિવાન દેવતારૂપે ઉત્પન્ન થયું. તરત જ તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તેણે પોતાના પૂર્વભવને વૃત્તાંત અવલંકી અહીં મારા સમવસરણની બીના જાણું તત્કાલ અહીં મને વંદના કરવાને આવ્યા અને પોતાની સર્વ સમૃદ્ધિ દેખાડી પાછે પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયે. હે ગૌતમ! આ પ્રમાણે એ દરાં દેવનો વૃત્તાંત મેં તમને કહ્યો છે.” ગૌતમ મુનિએ પુનઃ પ્રભુને પ્રશ્ન કર્યો “ભગવાન ! એ દેવતા અહીંથી ચવીને ક્યાં જશે? " ભગવાને કહ્યું, “તે મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થશે.” મિથ્યાત્વીના પરિચયથી કેવું નઠારું ફળ મળે છે? તે વિષે આ નંદમણિકારનું દૃષ્ટાંત સાંભળી સમ્યકત્વવંત પુરૂષાએ સર્વથા કુદષ્ટિના પરિચય ત્યાગ કરવો. અને સમ્યગૃષ્ટિના પરિચયને વધારવો. આ પ્રમાણે સમ્યકત્વને દૂષિત કરનારા સમ્યકત્વના પાંચ દૂષણે કહેવામાં આવ્યા તેથી સમ્યક્ત્વ મલિન થાય છે, માટે તે પાંચ દૂષણને સર્વથા પરિહાર કરે. સમ્યકત્વના આઠ પ્રભાવક. હવે સમ્યક્ત્વના આઠ પ્રભાવક કહે છે. જેનાથી સમ્યક્ત્વનો પ્રભાવ વધે તે પ્રભાવક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy