SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી આત્મપ્રબંધ કેટલીક વખત રહેવું ? માટે એક સાથે આ બાકી રહેલા સે પીંછાં મુઠ્ઠીમાં ગ્રહણ કરી લઉં.” આવું ચિંતવી તે મોરના બધા પીંછા મુષ્ટિ વડે ગ્રહણ કરવા ગ, તેવામાં તે મેર કાકડાનું રૂપ લઈ ઉડી ગયો અને નિપુણ્યકે જે પૂર્વે નવસે પીંછા ગ્રહણ કરેલા હતા, તે પણ તેની સાથે નાસી ગયા. કહ્યું છે કે – " देवमुल्लंध्य यत्कार्य क्रियते फलवन्न तत् । सरोंऽभश्चातकेनाप्तं गलरंध्रेण गच्छति" ॥ १ ॥ જે કામ દૈવ-કમને ઓળંગીને કરવામાં આવે, તે સફળ થતું નથી. ચાતક (બપૈયો ) સરેવરનું જળ મેળવે છે, પણ તે તેના ગળાના છિદ્રમાંથી નીકળી જાય છે.” (૧) તે નિપુણ્યક “મને ધિક્કાર છે. મેં ફોગટની ઉતાવળ કરી.” એમ ચિતવતો તે વનમાં આમતેમ ભમવા લાગ્યો. તેવામાં એક શાનીમુનિ તેના જોવામાં આવ્યા. તેણે તે મુનિને નમસ્કાર કરી પિતાને પૂર્વભવ પૂછયે. પછી તે મુનિએ તેના પૂર્વભવનું સ્વરૂપ યથાસ્થિત કહી સંભળાવ્યું. તે સાંભળી તેણે પૂર્વભવે દેવદ્રવ્ય વડે કરેલ આજીવિકાના પાપની આલયણે માગી. ત્યારે મુનિએ કહ્યું કે : “ પ્રથમ તો દેવદ્રવ્ય અધિક–અધિક આપવું અને તે આપ્યા પછી તેનું સમ્યક પ્રકારે રક્ષણ અને વૃદ્ધિ પ્રમુખ કરવું–એમ કરવું, તે લાગેલા દુષ્કર્મનો પ્રતિકાર (ઉપાય) છે, અને તેમ કરવાથી જ સર્વ પ્રકારે ભોગ ઋદ્ધિ તથા સુખનો લાભ પ્રાપ્ત થાય છેમુનિના આવા વચન સાંભળી તેણે એવો નિયમ ગ્રહણ કર્યો કે “જ્યાં સુધી પૂર્વે ગ્રહણ કરેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય ન અપાય ત્યાં સુધી આહાર, વસ્ત્રાદિકના નિર્વાહથી જરાપણ અધિક દ્રવ્ય મારે ગ્રહણ કરવું નહીં.” આવો નિયમ ગ્રહણ કરી તેણે શ્રાવકનો ધમ અંગીકાર કર્યો. તે પછી તે નિપુણ્યક જે જે વેપાર કરવા લાગ્યો, તેમાં તે ઘણું દ્રવ્ય કમાવા લાગ્યા. તે પિતાના આહાર વસ્ત્રના નિર્વાહ જેટલું રાખી બાકીનું દ્રવ્ય દેવકાયમાં આપતો. એમ કરતાં થોડા દિવસમાં તેણે દેવ નિમિત્તે દશ લાખ કાંકણી દ્રવ્ય આપી દીધું. તેટલું દ્રવ્ય આપી તે દેવનો અનૃણી થયો. પછી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી તે પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે સર્વ ધનાઢ્ય શેઠેમાં મહાન શેઠ ગણાય. પિતાના અને પરના કરાયેલા સર્વ ચેત્યોને વિષે પિતાની શક્તિ પ્રમાણે અખંડ ભક્તિપૂર્વક નિરંતર પૂજા–પ્રભાવના કરવા લાગ્યું. અને સમ્યક પ્રકારે દેવદ્રવ્યનું રક્ષણ અને યોગ્યતાપૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ વગેરે કરી તેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy