SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.... સ્તા........ના દરેક આત્મામાં અસાધારણ અસ્પૃદયને આપનાર સામર્થ્ય અને શક્તિઓ બીજરૂપે રહેલી છે. તેમને મનુષ્ય નિશ્ચયબળથી મેળવી શકે છે. નિશ્ચયબળ એ કાંઈ સાધારણ પ્રકારનું બળ નથી, પણ તે મનુષ્ય જીવનની ઉંચામાં ઉંચી ભૂમિકામાં જવાનું સાધન છે, જૈન ગવિદ્યાને મહાન આરંભ જેને માટે પ્રરૂપિત થયેલ છે, તેવા મનના નિગ્રહનું ફળ નિશ્ચયબળ છે. મનુષ્યની અંતરવૃત્તિમાં જે ઉચ્ચ અભિલાષાઓ અને શુદ્ધ વિચારો પ્રગટે છે, તેમની કૃતાર્થતા નિશ્ચયબળમાં જ રહેલી છે. જેનામાં એ અદભુત બળ રહેલું છે, તે ધર્મની કિયા અને તત્વમાર્ગનો પથિક બની શકે છે, વિપકારી ભગવાન તીર્થકરોએ પ્રાણીઓના હિતને માટે જે આજ્ઞારૂપ નિયમ પ્રરૂપેલા છે તે બધા નિશ્ચયબળથી જ પાળી શકાય છે. તે નિશ્ચય બળને દઢ રાખવાને માટે જ દાન, શીલ તપ અને ભાવ એ ચતુર્વિધ ધર્મની પ્રરૂપણ કરવામાં આવી છે. એ ચાર સ્તંભને અવલંબીને સર્વ ધર્મશિરોમણી આતધર્મને સુંદર પ્રાસાદ રહેલો છે. નિશ્ચયબળ અથવા મનોબળને ધારણ કરનાર ભવ્ય આત્માઓ પવિત્ર અને સુંદર પ્રાસાદમાં વાસ કરવાને માટે અધિકારી થાય છે, તે નિશ્ચયબળને ટકાવી રાખવાને માટે જે ગુણોની આવશ્યકતા છે તે ગુણો આહંત ધર્મ શાસ્ત્રમાં દર્શાવેલા છે, તે શાસ્ત્ર ઉદષણા કરે છે કે, “નિશ્ચયબળ મેળવવાને માટે સદ્દવર્તન ધારણ કરજો. ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય જે મનોબળને લુલું કરી નાખનારા છે અને આત્માના ભાવઉદયને લોપનારા છે, તેમને હૃદયમાં પેસવા દેશે નહીં, નિરંતર આત્મચિંતવન કરો, કટુતામાં મધુરતા શીખજે, એટલે દુઃખમાં સુખને માની લેતા શીખજો, દુઃખને અનુભવી ઢીલા થશે નહીં અને સંતાપના દણું રોશે નહીં, તમારા મનને કમ પ્રકૃતિનું જ્ઞાતા અને તત્ત્વજ્ઞાનને સેવવાનું અધિકારી બનાવવા નિશ્ચયબળ આપજે, તેથી તમેને દુઃખમાં પ્રસન્નતા રાખવાનું કાર્ય જરાપણ કઠીન જણાશે નહીં ?' શાસ્ત્રોની આ વાણું બેલી જવાની કે સાંભળી જવાની નથી પણ તેને ક્રિયામાં વર્તન નમાં મૂકવી જોઈએ. એ વર્તનમાં મૂકવાને માટે જ આહત આગમ ઉપરથી પ્રાચીન વિદ્વાનોએ અનેક લેખ લખેલા છે. પ્રત્યેક લેખની રચના ભિન્ન-ભિન્ન લાગે છે, પણ તેમનો પવિત્ર ઉદ્દેશ એક જ હોય છે, તે પવિત્ર ઉદ્દેશથી લખાણમાં ગ્રંથની અંદર કેટલું બધું ગૌરવ રહેલું છે, તેને ચિતાર સહૃદયી વિદ્વાને જ આપી શકે તેમ છે. | સર્વ દર્શન શિરોમણિ જૈનદર્શનમાં વિપકારી મહાત્માઓએ ભવ્યાત્માઓના હિતની ખાતર અનેક ગ્રંથો લખેલા છે, અને તેથી જ ભારતવર્ષ ઉપર વસતી આર્ય પ્રજામાં આહંત ઘર્મની જ્ઞાન સમૃદ્ધિ સર્વોત્કૃષ્ટ ગણાય છે. જો કે તેના અનેક કારણે છે, પરંતુ તેમાંનું એક મુખ્ય કારણ છે તે ગ્રંથોમાં વર્ણવેલું ઉચ્ચ પ્રકારનું તત્ત્વજ્ઞાન છે આ તત્ત્વજ્ઞાન કેવલ શુષ્ક નથી, પણ તે સાથે તે ક્રિયા, આચાર અને સદ્વર્તનના બેધરૂપ માધુર્યથી ભરપૂર છે, તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy