SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શ્રી આત્મપ્રબોધ "कम्मे सिप्पे य विजाए मंते जोगे य आगमे । ___ अत्थजुत्त अभिप्पाए तवे कम्मवखए इय ॥१॥" કમસિદ્ધ, શિ૯૫સિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યુક્તિસિદ્ધ, અભિપ્રાયસિક, તપસિદ્ધ, અને કમ ક્ષય સિદ્ધ ઇત્યાદિ સિદ્ધા કહેલા છે, તે કર્માદિ સિદ્ધોનો ત્યાગ કરવા માટે બુદ્ધ કહેલ છે એટલે અજ્ઞાન નિદ્રાને વિષે સૂતેલા એવા જગને વિષે બીજાના ઉપદેશવડે જીવાદિ તને જાણનારા તે બુદ્ધ કહેવાય છે. - હવે ઘણું બુદ્ધ પણ આ સંસારના ભયને ત્યાગ કરનારા છે, તેમનો નિરાશ કરવાને કહે છે કે તે પારગત છે એટલે સંસારના સવ પ્રયજનના સમૂહને પાર પામેલા છે. કેટલાએક યદચ્છાવાદીઓ પણ અક્રમ સિદ્ધપણાથી તેવા કહેવાય છે, તે ભ્રમનો નિરાસ કરવા માટે “વાત કહેલ છે. એટલે શાન, દર્શન અને ચારિત્ર દ્વારા ચૂદ ગુણઠાણાએ કરી અનુક્રમે મોક્ષને પામેલા, તે પરંપરાગત કહેવાય છે. કેટલાએક તત્ત્વથી કમ મુક્ત નહીં થયેલા કહે છે કેપોતાના તીર્થના તિરસ્કારપણથી (વિનાશપણથી) તેના ઉદ્ધાર માટે આ લોકમાં અવતારરૂપે આવે છે” એ વચનથી ફરીવાર સંસારમાં આવવાનું અંગીકાર કરવામાં આવતાં, તેમને નિરાસ કરવાને કહે છે કે- “પુર્મિકવવાદ” પ્રબળતાથી-ફરીથી પ્રગટ ન થવાપણાથી સર્વ પ્રકારે કમરૂપી કવચનોનો જેમણે ત્યાગ કર્યો છે એવા છે. તેથી જ તેઓ “અઝર” શરીરના અભાવથી જરાવસ્થાએ રહિત, માટે જ “રામ” શરીરના અભાવે નહીં મરનારા, કારણકે શરીરના અસંભવથી પ્રાણના ત્યાગનો પણ જેમને અસંભવ છે, એવા અમર છે, વળી તે સિદ્ધ ભગવંતે “ઘર્ષT” એટલે બાહ્ય તથા અત્યંતર એવા સંગથી રહિત છે, વળી તેઓ “નિતી વાડ” એટલે જેઓ સર્વ દુઃખને ઓલંગી ગયા છે. કારણકે- જાતિ, જરા, મરણ અને બંધનથી મુક્ત થયેલા છે. જાતિ એટલે જન્મ, જરા એટલે વયની હાનિ, મરણ એટલે પ્રાણત્યાગ અને બંધન એટલે તેના કારણરૂપ કર્મો- તે સર્વને જેમણે સમ્યક પ્રકારે વિનાશ કરેલ છે, તેથી જ તે સિદ્ધ ભગવાનો અવ્યાબાધ શાશ્વત સુખને અનુભવે છે. સિદ્ધ ભગવાનના એક્ટીશ ગુણો " संठाण वण्ण रस गंध फरस वेयंगसंगभवरहियं । इगतीसगुणस मिद्धं सिद्धं बुद्धं जिणं नमिमो ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy