SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ આ પ્રમાણે બાલકની સાથે પોતાના છ સંબંધો દેખાડી બાળકના પિતા સાથેના પોતાના છ સંબંધ જણાવતા સાધ્વીએ પુનઃ જણાવ્યું, ૧ બાલકના પિતાની માતા અને મારી માતા પણ એક હોવાથી તે મારે ભાઈ થાય છે. ૨ આ આ બાલકનો પિતા મારી માતાને ભર્તાર હોવાથી મારે પિતા થાય છે. ૩ આ મારા કાકાને પિતા હોવાથી મારા દાદા થાય છે. તે પૂર્વે મને પરણનાર હોવાથી ભારે ભર્તાર થાય છે. ૫ મારી શેનો પુત્ર હોવાથી મારો પુત્ર થાય છે અને મારા દિયરનો પિતા હોવાથી તે મારા સસરો થાય છે. હવે આ બાળકની માતા સાથેના પિતાના છ સંબંધો જણાવતા કહે છે કે-૧ આ બાળકની માતા મારી પ્રસવ કરનાર હોવાથી તે મારી માતા થાય છે, જે તે મારા ભાઈની વહુ હોવાથી મારી ભાભી થાય છે, ૩ મારા કાકાની માતા હોવાથી તે મારી દાદી થાય છે, કે મારી શેના પુત્રની વહુ હોવાથી મારી વધૂ થાય છે, ૫ મારા ભર્તારની માતા હોવાથી તે મારી સાસુ થાય છે અને ૬ મારા ભર્તારની બીજી સ્ત્રી હોવાથી મારી શેક્ય થાય છે. એ રીતે બાલકની માતા કુબેરદત્તા વેશ્યાની સાથે મારા પિતાના છ સંબંધ થાય છે. આ પ્રમાણે કહી તે કુબેરદત્તના આત્માને ઉદ્ધાર કરવા પિતે રાખેલી પેલી મુદ્રા તેની આગલ પ્રગટ કરી બતાવી. કુબેરદત્ત તે મુદ્રા જોઈ વિચારમાં પડી ગયો અને સાધ્વીએ બતાવેલા સર્વ સંબંધોને વિરુદ્ધ જાણી તેના હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ આવી. આત્મનિંદા કરતા તે કુબેરદત્તે પિતાની શુદ્ધિ માટે વિચાર કરી તત્કાલ દીક્ષા ગ્રહણ કરી અને તે મહાન તપસ્યા કરવાને પ્રવર્યો. આ પ્રવૃત્તિ જાણી કુબેરસેના વેશ્યાએ પણ પ્રતિબોધ પામી શ્રાવકધમ અંગીકાર કર્યો. સાધ્વી કુબેરદત્તા આ પ્રમાણે તેમને ઉદ્ધાર કરી પિતાની પ્રવર્તિની પાસે ચાલ્યા ગયા. અનુક્રમે તે સર્વ જી પોતાના ધર્મને સમ્યક પ્રકારે આરાધી ઉત્તમ ગતિના ભાજન થયા. અઢાર સંબંધ ઉપર કુબેરદત્તનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. આ અઢાર સંબંધ એક ભવને આશ્રીને બતાવ્યા છે. અનેક ભવની અપેક્ષાએ તે પ્રાયઃ કરીને સાંવ્યાવહારિક એટલે વ્યવહાર રાશિવાળા જીવોને એકેક સંબંધ અનંતીવાર થયે, તેમ જ શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના સાતમા ઉદેશમાં કહ્યું છે કે અવળ મતિ વીવે, સત્રનીવાdi મારૂત્તા” ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy